પીએમ કેર્સ ફંડને ndrfમાં ટ્રાન્સફર કરવાની માંગને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારીને કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું, અને કહ્યું હતું કે ndrfના પૈસાતો રાજીવ ગાંધી ફાઉન્ડેશનને જતાં હતા.
રાહુલ ગાંધી પર નિશાનો સાધીને કહ્યું કે તેઓ દેશને નબળો પાડી રહ્યા છે
પીએમ કેર્સ ફંડ માંથી અત્યાર સુધી 50000 વેન્ટિલેટર્સની ખરીદી કરાઇ છે
પીએમ કેર્સ ફંડને એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવાની માંગને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ભાજપના ઘણા નેતાઓએ અવકાર્યો હતો. જેમાં કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે પીએમ કેર્સ ફંડ દ્વારા કોરોનાની લડાઇમાં અત્યાર સુધી 3100 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી છે. તેમાંથી 2 હજાર કરોડના વેન્ટિલેટરની ખરીદી કરવામાં આવી છે.
પીએમ કેર્સ ફંડના રૂપિયાથી વેન્ટિલેટરની ખરીદી કરાઇ છે
કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે ફંડના રૂપિયાથી 50 હજાર વેન્ટિલેટર ખરીદવામાં આવ્યા છે, જે આઝાદી પછીની સૌથી મોટી ખરીદી છે. પરપ્રાંતિય મજૂરોને સહાય માટે એક હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. રસી સંશોધન માટે રૂ. 100 કરોડ આપવામાં આવ્યા હતા. પીએમ કેર્સ ફંડ એ એક જાહેર ટ્રસ્ટ છે અને તેના ટ્રસ્ટી વડા પ્રધાન છે.
લોકો આપે છે સ્વૈચ્છિક દાન
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે લોકો પીએમ કેર્સ ફંડમાં સ્વૈચ્છિક રીતે દાન આપે છે.છેલ્લા વર્ષ સુધી મોદી સરકાર ઉપર ભ્રષ્ટાચારના કોઈપણ આરોપો લગાવવામાં આવ્યા ન હતા. બધી બાબતો પારદર્શિતા સાથે થઈ રહી છે. રાહુલ ગાંધી પર નિશાન સાધતા રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધીએ કોરોના સામેની લડતમાં પ્રથમ દિવસથી દેશને નબળો કરવાનો પ્રયાસ કર્યો છે.
કોરોના સામેની લડતને નબળી પાડવા રાહુલે કોઈ કસર છોડી નથી
રવિશંકર પ્રસાદે કહ્યું કે વડા પ્રધાને કોવિડના ડોકટરો, નર્સો અને લડવૈયાઓ માટે તાળીઓ પાડવાની અને થાળીઓ વગાડવાની વાત કરી, તો રાહુલ ગાંધીએ કહ્યું કે તમે કેમ રમી રહ્યા છો. વડા પ્રધાનના કહેવાથી જ્યારે આખા દેશમાં કોરોના સામે આશાનો દીવો પ્રગટાવ્યો ત્યારે રાહુલે કહ્યું કે તમે તેને કેમ સળગાવી રહ્યા છો. રાહુલે કોરોનાની લડતને નબળી બનાવવામાં કોઈ કસર છોડી નહોતી.
સુપ્રીમ કોર્ટે રદ કરી હતી પિટિશન
નોંધનીય છે કે, આજે સુપ્રીમ કોર્ટે પીએમ કેર્સ ફંડ સામેની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે નવેમ્બર 2019 માં રચાયેલી એનડીઆરએફ કોરોના સંકટને પહોંચી વળવા માટે પૂરતી છે. કોઈપણ નવી ક્રિયા યોજનાઓને મિનિમમ ધોરણે અલગ કરવાની કોઈ જ જરૂર નથી.