કોરોના વાયસર મહામારીને લઇને પ્રસાદે રાજ્યોના આઇટી મંત્રીઓની સાથે વીડિયો-કોન્ફ્રેસના માધ્યમથી વાતચીત દરમિયાન આ વાત કરી. ઘરથી કામ કરવાની સુવિધા 31 જુલાઇ સુધી વધારી દેવામાં આવી છે.
રવિ શંકર પ્રસાદે આઇટી મંત્રીઓની સાથે વીડિયો-કોન્ફ્રેસના માધ્યમથી વાત કરી
ઘરથી કામ કરવાની સુવિધા માટે કનેક્ટિવિટીના નિયમોમાં ઢીલ આપવામાં આવી છે
31 જુલાઇ સુધી વધારી દેવામાં આવી છે
કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદે મંગળવારે રાજ્યના સૂચના પ્રૌદ્યોગિકી મંત્રીઓને કહ્યું કે રોકાણને પ્રોત્સાહન આપનારી પહેલ દ્વારા ઇલેક્ટ્રોનિક્સ વિનિર્માણને પ્રોત્સાહન આપવાની દિશામાં ઝડપથી આગળ વધે, એમને કહ્યું કે ઇલેક્ટ્રૉનિક્સ વિનિર્માણના ક્ષેત્રમાં ભારતની સામે અપાર સંભાવનાઓ છે અને રાજ્યોને એનો ફાયદો ઊઠાવવો જોઇએ.
કોરોના વાયસર મહામારીને લઇને પ્રસાદે રાજ્યોના આઇટી મંત્રીઓની સાથે વીડિયો-કોન્ફ્રેસના માધ્યમથી વાતચીત દરમિયાન આ વાત કરી. આ વાતચીત બાદ એમને સંવાદદાતોએને કહ્યું કે ઘરથી કામ કરવાની સુવિધા માટે કનેક્ટિવિટીના નિયમોમાં ઢીલ આપવામાં આવી છે. આ છૂટ 30 એપ્રિલને ખતમ થવાની હતી, જેને હવે 31 જુલાઇ સુધી વધારી દેવામાં આવી છે.
We have to popularise work from home (WFH) norm. There are many restrictions for it like money deposits & clearances, these things were relaxed till April 30 after #COVID19 outbreak. We have decided to extend the relaxation till July 31: Union Minister Ravi Shankar Prasad pic.twitter.com/GucV56OcNF
પ્રસાદે કહ્યું કે રાજ્યોએ આરોગ્ય સેતુ એપના ખૂબ જ વખાણ કર્યા અને એમને ભરોસો આપ્યો કે ફીચર ફોન માટે આ પ્રકારે સમાધાનનો વિકાસ થશે અને એને જલ્દી લૉન્ચ કરવામાં આવશે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અન આઇટી મંત્રીએ કહ્યું કે એમનું મંત્રાલય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત ફેક ન્યૂઝની દેખરેખ કરી રહ્યું છે અને એને કડક રીતે નિપટાવવામાં આવી રહ્યા છે.