ઉદ્ધવ ઠાકરેએ ખુરશી માટે બેઈમાનીની સરકાર બનાવી-પ્રસાદ
કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા રવિશંકર પ્રસાદે રવિવારે પટણામાં પ્રેસ કોન્ફન્સ કરીને ઠાકરે પર કટાક્ષ કરતા જણાવ્યું કે તમે તો બાળાસાહેબ ઠાકરેના પુત્ર છોને જેમણે જય મહારાષ્ટ્ર શબ્દ આપ્યો હતો. તમે ખુરશી માટે બેઈમાનીની સરકાર બનાવી. હવે તમે તમારા પિતાની ગરીમાને કેમ ઠેસ પહોંચાડી રહ્યાં છો. જય મહારાષ્ટ્ર, જ્યાં તમે મુખ્યમંત્રી છો, ત્યાં કરોડો રુપિયાની લૂંટ મચી રહી છે. ઉદ્ધવ સરકાર શાસન કરવાનો નૈતિક અધિકાર ગુમાવી બેસી છે.
ઠાકરે અને શરદ પવાર પર નિશાન સાધતા પ્રસાદે જણાવ્યું કે બન્નેની ખામોશી શક પેદા કરે છે. ગૃહની અંદર અને બહાર ઉદ્ધવ ઠાકરેની ખામોશી શક પેદા કરે છે. સચિન વઝેની હેસિયત એક એએસઆઈની છે જેને ક્રાઈમના સીઆઈડી બનાવી દેવાયા. આ એક રીતે નવાઈકારક છે.
પ્રસાદે કહ્યું કે એક બાજુ સીએમ બચાવ કરે છે બીજી બાજુ હોમ મિનિસ્ટર કહે છે કે મને 100 કરોડ લાવીને આપો. આ ઘણો ગંભીર મામલો છે. આ મામલાની ગંભીરતાથી તપાસ કરવાની જરુર છે. આ કેસની સ્વતંત્ર એજન્સીની તપાસ જરુરી છે કારણ કે તેમાં શરદ પવાર,મુંબઈ પોલીસની ભૂમિકા સામે આવશે.
પ્રેસ કોન્ફરન્સમાં પ્રસાદે એવું પણ જણાવ્યું કે આ શાસનની મહાઅઘાડી નથી પરંતુ લૂંટની મહાઅઘાડી છે. ભાજપ આ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવશે અને રસ્તા પર ઉતરશે.