કેન્દ્રીય ટેલિકોમ અને સૂચના પ્રસાર મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર પલટવાર કરતાં કહ્યું હતું કે- જે લોકો હારી ગયા છે તેઓ કહે છે કે વિશ્વ પર ભાજપ અને RSSનું નિયંત્રણ છે
પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના આરોપો પર રવિશંકર પ્રસાદે કર્યો પલટવાર
હારેલા લોકો કહી રહ્યા છે BJP-RSSનો પ્રભાવ દુનિયા પર છે, પ્રસાદના પ્રહાર
આજે રાહુલ ગાંધીએ કરેલા પ્રહારનો જવાબ વાળતા રવિશંકર પ્રસાદે ટ્વિટ કર્યું હતું કે, ''જે લોકો પોતાની પાર્ટી ઉપર પ્રભાવ પણ નથી ધરાવતા તેઓ કહેતા ફરે છે કે આખી દુનિયા ભાજપ અને આરએસએસ દ્વારા નિયંત્રિત છે.''
The fact is that today access to information and freedom of expression has been democratized. It is no longer controlled by retainers of your family and that is why it hurts.
Btw, haven’t yet heard your condemnation of the Bangalore riots. Where did your courage disappear?
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે એક અમેરિકન અખબારના અહેવાલમાં ટાંકીને આક્ષેપ કર્યો છે કે, BJP-RSSનો ભારતમાં ફેસબુક અને વોટ્સએપ પર નિયંત્રણ છે. આ અંગે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપી છે. રવિશંકર પ્રસાદે ટ્વિટ કર્યું હતું કે 'જે લોકો પોતાની પાર્ટી ઉપર પણ પ્રભાવ નથી કરી શકતા તેઓ એ ટાંકીને કહે છે કે આખી દુનિયા ભાજપ અને આરએસએસ દ્વારા નિયંત્રિત છે.'
રવિશંકરનો જવાબ
રવિશંકર પ્રસાદે વધુમાં લખ્યું છે કે, 'ચૂંટણી પહેલાં ડેટાને શસ્ત્રસજ્જ બનાવવા માટે તમે કેમ્બ્રિજ એનાલિટિકા અને ફેસબુક સાથે જોડાણમાં લાલ હાથે પકડાયા હતા અને હવે અમને સવાલો પૂછે છો?'
અભિવ્યક્તિની સ્વતંત્રતાને લોકતાંત્રિક બનાવી
આ અગાઉ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે એક બીજું ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે 'સત્ય એ છે કે આજે માહિતીની પ્રાપ્યતાને સરળ બનાવવા માટે અભિવ્યક્તિની સ્વતંત્રતાને લોકતાંત્રિક બનાવવામાં આવી છે. હવે તે તમારા પરિવારના સેવકો દ્વારા કંટ્રોલ કરવામાં આવતું નથી, તેથી તમને પીડા થાય છે. છતાં અમે હજી સુધી બેંગાલુરુ રમખાણો માટે તમારી નિંદા સાંભળી નથી. આ મુદ્દે તમાઋ હિંમત કયા ખોવાઈ ગઈ હતી?'
અગાઉ રાહુલ ગાંધીએ ભાજપ અને RSS પર આરોપ લગાવ્યો હતો કે આ બંને સંગઠનો ભારતમાં ફેસબુક અને વોટ્સએપ પર નિયંત્રણ રાખે છે. તેમણે ટ્વીટ કર્યું, 'ભાજપ અને આરએસએસ ભારતમાં ફેસબુક અને વોટ્સએપ પર નિયંત્રણ રાખે છે. તેઓ તેના દ્વારા નકલી સમાચાર અને નફરત ફેલાવે છે. રાહુલે પોતાની ટ્વિટમાં એમ પણ જણાવ્યું હતું કે ફેસબુક અને વોટ્સએપનો ઉપયોગ મતદારોને પ્રભાવિત કરવા માટે થઈ રહ્યો છે.