ભાજપ નેતા રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફ્રેંસ કરીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસ કરી રહ્યું છે સરકાર સામે વિરોધ પ્રદર્શન
ભાજપ નેતાએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા
પ્રેસ કોન્ફ્રેંસ કરી સવાલો કર્યા
ભાજપ નેતા રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફ્રેંસ કરીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફ્રેંસ પર પ્રહાર કરતા પ્રસાદે કહ્યુ કે, રાહુલ પોતાની પીસીમાં ગભરાયેલા હતા. પ્રસાદે કહ્યું કે, 'લોકતંત્રનું મોત'વાળા નિવેદન પર કહ્યું કે, કોંગ્રેસનું લોકતંત્ર ભ્રષ્ટાચારનું તંત્ર હતું. તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર ખતમ થવા પર રાહુલ ગાંધી દુ:ખી છે. હું પૂછુ છુ કે, શું આપની પાર્ટીમાં લોકતંત્ર હતું ?
પ્રસાદે કહ્યું કે, મોંઘવારી અને બેરોજગારી પર ચર્ચામાં રાહુલ ગાંધી આવતા નથી. મોંઘવારી અને બેરોજગારીની ચર્ચા તો એક બહાનુ છે, મૂળ તો ઈડીને ડરાવવું-ધમકાવવાનું અને પરિવારને બચાવાનું છે. રાહુલ ગાંધીને મારો એક સવાલ છે, શું આપની પાર્ટીમાં લોકતંત્ર છે ? કોંગ્રેસમા ખાલી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા છે. આપની પાર્ટીને જનતા વોટ નથી આપતી તો અમે શું કરીએ ? ભાજપ નેતાએ કહ્યું કે,કોવિડ મહામારી છતાં પણ દુનિયાની કેટલીય અર્થવ્યવસ્થા કરતા ભારતની અર્થવ્યવસ્થા સારી છે.
કોંગ્રેસનું લોકતંત્ર ભ્રષ્ટાચાર પર ચાલે છે
તેમણે આગળ કહ્યું કે, 2019માં આપની પાર્ટીએ પીએમ મોદીને શું નથી કહ્યું. તેને અમે રિપીટ પણ નથી કરી શકતા. યુપીમાં પ્રિયંકા ગાંધીને એક સીટ ન મળી. આપનું લોકતંત્ર ભ્રષ્ટાચાર પર ચાલે છે. રાહુલ ગાંધી આપ દેશને બતાવો કે, આપ જામીન પર શા માટે છો ? નેશનલ હેરાલ્ડ કેસ શું છે ? આખો કેસ અમે આવ્યા તે પહેલા ફાઈલ થયો. 50 લાખ રૂપિયા લગાવીને 2000 કરોડની પ્રોપર્ટી તમારા ટ્રસ્ટને આપી દીધી.