કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા રવિશંકર પ્રસાદે આજે આ ઘટનાનો સંદર્ભ લઈને મહારાષ્ટ્રની સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગૃહમંત્રી દેશમુખે આ નિર્ણય પણ મુખ્યમંત્રી ઠાકરેને નહીં પણ શરદ પવારને પૂછીને લીધો હશે. ભાજપના વરિષ્ઠ નેતાએ વધુમાં જણાવ્યું હતું કે સીએમ ઠાકરે આ મામલે ચૂપ શું કામ છે? તેમણે કહ્યું કે આ આખા ઘટનાક્રમની તપાસ મુંબઈ પોલીસ નહોતી કરી શકતી, માટે સીબીઆઇ કરશે. તેમણે ભાર દઈને પૂછ્યું હતું કે શું ઉદ્ધવ ઠાકરેમાં નૈતિકતા છે કે નહીં? કેમ કે આ રાજીનામું નૈતિકતાની રીતે આવ્યું છે, તો સવાલ તો ઉદ્ધવ ઠાકરે પર પણ ઉઠશે.
શું બોલ્યા રવિશંકર પ્રસાદ ?
કેન્દ્રીય મંત્રીએ આજે કહ્યું હતું કે અનિલ દેશમુખના પદ પર આસીન રહેતા મુંબઈ પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવી શક્ય નહોતી, માટે અમે નિષ્પક્ષ તપાસની માંગણી કરી રહ્યા હતા, અને ગૃહમંત્રીનું રાજીનામું માંગી રહ્યા હતા, જો કે તેઓ આપી રહ્યા નહોતા, પણ આજે તો કમાલ જ થઈ ગયો કે શરદ પવારથી સહમતિ લઈને તેમણે રાજીનામું આપી દીધું. આ મામલે ઉદ્ધવ ઠાકરે ક્યારે પોતાનું મોઢું ખોલશે, તેમણે કહ્યું હતું કે આખી ઘટના બહાર આવશે, કેમ કે NIA ની તપાસમાં બધુ બહાર આવી રહ્યું છે,ઓ દરરોજ સચિન વાઝેની નવી ગાડીઓ બહાર આવી રહી છે. આ સિવાય તેમણે વધુમાં કહ્યું હતું કે આ રાજીનામું નૈતિકતાના આધારે અપાઈ રહ્યું છે, તો સવાલો તો સીએમ પર પણ ઊભા થશે, તો શું ઉદ્ધવ ઠાકરેમાં નૈતિકતા છે કે નહીં.
શું છે ઘટના?
મહારાષ્ટ્રના સીએમ અનિલ દેશમુખ પર પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંઘ દ્વારા લગાડાયેલા ગંભીર આરોપો પછી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ છે, અને આ મામલે જયશ્રી પટેલની અરજી પર બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જો કે બીજી તરફ એનસીપીણી એક હાઇ લેવલ મિટિંગ પછી અનિલ દેશમુખ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું હતું.