પ્રખ્યાત ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિ કિશને કહ્યું કે, તેઓ પ્રધાનમંત્રી મોદીનાં જીવન પર ભોજપુરીમાં એક ફિલ્મ બનાવશે કે જેથી આ બોલી બોલનારા લોકોનાં સમાજમાં પણ મોદીની જિંદગીને વિશે તેઓ જાણી શકે. તેઓએ એમ કહ્યું કે, ચૂંટણી બાદ તેઓ સ્વામી વિવેકાનંદ અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનાં જીવન પર પણ ભોજપુરી ફિલ્મ બનાવવા માટે કામ શરૂ કરશે.
ન્યૂ દિલ્હીઃ પ્રખ્યાત ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિ કિશને કહ્યું કે, તેઓ પ્રધાનમંત્રી મોદીનાં જીવન પર ભોજપુરીમાં એક ફિલ્મ બનાવશે કે જેથી આ બોલી બોલનારા લોકોનાં સમાજમાં પણ મોદીની જિંદગીને વિશે તેઓ જાણી શકે. તેઓએ એમ કહ્યું કે, ચૂંટણી બાદ તેઓ સ્વામી વિવેકાનંદ અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનાં જીવન પર પણ ભોજપુરી ફિલ્મ બનાવવા માટે કામ શરૂ કરશે. ગોરખપુરથી ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી રહેલ રવિ કિશને કહ્યું કે, 'એવું નથી કે રાજનીતિમાં આવ્યા બાદ હું ફિલ્મોથી અલગ થઇ જઇશ. ત્યારે અહીં જ (ગોરખપુર)માં સ્ટુડિયો બનાવીશું અને ફિલ્મોનું શૂટિંગ પણ કરીશું. સાથે સાથે જનતાની સેવા પણ થશે.
તેઓએ કહ્યું કે, 'મારા મગજમાં ભોજપુરી સિનેમામાં અનેક ચીજો કરવા માટે છે. મોદીજી પર પમ બાયોપિક બનાવીશું કે જેથી ભોજપુરી સમાજ પણ તેમનાં જીવનનાં વિશે જાણે.' રવિ કિશને કહ્યું કે, 'આ સિવાય સ્વામી વિવેકાનંદ અને અટલ બિહારી વાજપેયીનાં જીવન પર પણ ભોજપુરી ફિલ્મ બનાવવાનું હું વિચારી રહ્યો છું.' તેઓએ કહ્યું કે, "હું મોદીજીનાં જીવનથી ખૂબ પ્રભાવિત છું. 2014માં મોદીજીએ જ્યારે શૌચાલયને વિશે વાત કરી...., આવું મેં પહેલી વાર જોયું હતું કે જ્યારે કોઇ પ્રધાનમંત્રીનો વિચાર આવો પણ હોઇ શકે છે. જેથી હું તેમનાંથી ખૂબ પ્રભાવિત છું."
ભોજપુરી અભિનેતાએ કહ્યું કે, ચૂંટણી બાદ તેઓ આ ફિલ્મોને લઇને કામ શરૂ કરશે. તેઓએ જો કે પ્રધાનમંત્રી મોદીની બાયોપિક "પીએમ નરેન્દ્ર મોદી"ને લઇને કોઇ ટિપ્પણી નથી કરી. ઉલ્લેખનીય છે કે "પીએમ નરેન્દ્ર મોદી" પહેલાં 11 એપ્રિલનાં રોજ રિલીઝ થવાની હતી પરંતુ ચૂંટણી આયોગે આચાર સંહિતાને ધ્યાને રાખીને તેની પર પ્રતિબંધ લગાવી દીધો. સુપ્રીમ કોર્ટે પણ આ બાયોપિકની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાનાં આયોગથી આદેશમાં હસ્તક્ષેપ કરવાથી ઇન્કાર કરી દીધો. હવે આ ફિલ્મ 24મેનાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં અભિનેતા વિવેક ઓબેરોયે પ્રધાનમંત્રી મોદીની ભૂમિકા નિભાવી છે.