સુપ્રીમ કોર્ટના આદેશથી પાટનગર દિલ્હીમાં રવિદાસ મંદિર તોડી પાડ્યા બાદ દેખાવો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર સહિત 96 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ચંદ્રશેખર અને અન્ય લોકો સામે ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 147, 149, 186 અને 332 હેઠળ ગુનો દાખલ કરાયો છે.
આ પ્રકારના લાગ્યા છે આરોપ
જેમની ધરપકડ કરાઇ છે એ તમામ લોકો પર દંગલ કરવાનો, જાહેર તથા ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવાનો તેમજ અન્ય આરોપ મૂકવામાં આવ્યો હતો. તમામ અટકાયતીઓને આજે સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો
દિલ્હીમાં એક રવિદાસ મંદિરને તોડી પાડ્યાના વિરોધમાં આજે દેશભરના વિભિન્ન ભાગોથી આવેલ દલિત સમુદાયના લોકોએ હાથોમાં બ્લૂ રંગના ઝંડા લઇને ઝંડેવાલાનથી રામલીલા મેદાન સુધી બુધવારે પ્રદર્શન કર્યું. દિલ્હી ડેવલોપમેન્ટ ઓથોરિટીની હાઇકોર્ટેના આદેશ પર 10 ઓગસ્ટે મંદિર તોડી પાડ્યું હતું.
પ્રદર્શન કરનાર લોકોએ કેન્દ્ર સરકારને ફરી મંદિર બનાવવાની માંગ કરી છે. પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી આવેલા પ્રદર્શનકારી 'જય ભીમ'ના નારા લગાવ્યા હતા. એમણે સરકાર પાસે માંગ કરી કે સંબંધિત જમીન દલિત સમુદાયને સોંપવામાં આવે અને મંદિર બીજીવાર બનાવવામાં આવે.
પ્રિયંકા ગાંધીએ આવ્યા બચાવમાં
પ્રિયંકા ગાંધીએ પોતાના ટ્વીટ કરી જણાવ્યું છે કે ભાજપ સરકાર પહેલા કરોડો દલિત ભાઇ-બહેનોને સાંસ્કૃતિક વારસાના પ્રતિક રવિદાસ મંદિર સ્થળ સાથે છેડછાડ કરે છે અને જ્યારે દેશના પાટનગરમાં હજારો દલિત ભાઇ-બહેન પોતાનો અવાજ ઉઠાવે છે તો ભાજપ તેના પર લાઠી વરસાવે છે, ટિયર ગેસ ચલાવે છે, ધરપકડ કરે છે.
भाजपा सरकार पहले करोड़ों दलित बहनों-भाइयों की सांस्कृतिक विरासत के प्रतीक रविदास मंदिर स्थल से खिलवाड़ करती है और जब देश की राजधानी में हजारों दलित भाई-बहन अपनी आवाज़ उठाते हैं तो भाजपा उन पर लाठी बरसाती है, आँसू गैस चलवाती है, गिरफ़्तार करती है।#SaveSantRavidasTemple