યુવા મિસ્ટ્રી સ્પિનર રવિ બિશ્નોઈનો વેસ્ટ ઈન્ડિઝ સામે વન-ડે અને ટી-20 હોમ સીરીઝ માટે ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે. રોહિત શર્માની આગેવાનીમાં આ લેગ સ્પિનર પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો આગાજ કરી શકે છે. બિશ્નોઈને ઈન્ડિયન પ્રીમિયર લીગનું સંશોધન માનવામાં આવે છે.
રવિ બિશ્નોઈનો ભારતીય ટીમમાં કરાયો સમાવેશ
વેસ્ટ ઈન્ડીઝ સામે વન-ડે અને ટી-20 હોમ સીરીઝ માટે કરાયો સમાવેશ
રોહિત શર્માની આગેવાનીમાં લેગ સ્પિનર આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો કરશે પ્રારંભ
બિશ્નોઈએ પંજાબની ટીમ તરફથી ખૂબ જ સારું પ્રદર્શન કર્યુ. બિશ્નોઈ આગામી આઈપીએલમાં નવી ફ્રેન્ચાઈઝી લખનઉ સુપરજાઈન્ટ્સની તરફથી રમશે. ફ્રેન્ચાઈઝીએ તેમને ટીમ સાથે જોડ્યો છે. રવિ એવા ખેલાડીઓમાં સામેલ છે, જેણે અભ્યાસ પર રમતને પ્રાથમિકતા આપી. જે તેના જીવનનો સૌથી મોટો ટર્નિગ પોઈન્ટ સાબિત થયો. ખરેખર, તે રાજસ્થાન રૉયલ્સ માટે નેટ બોલર તરીકે પસંદ કરાયા હતા અને તે સમયે તેમની 12માની બોર્ડ પરીક્ષા પણ આવી. બિશ્નોઈના પિતા પોતે પણ ઈચ્છતા હતા કે તે પરીક્ષા આપે. પરંતુ બે કોચ સાથે વાતચીત કર્યા બાદ તેમણે ક્રિકેટને પ્રાથમિકતા આપી. હવે જુઓ બિશ્નોઈને પ્રથમ વખત ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
2018ની વાત છે, રવિ બિશ્નોઈને 12માની બોર્ડની પરીક્ષા આપવાની હતી. આ દરમ્યાન આઈપીએલ સત્રની શરૂઆત થઇ હતી અને રવિને રાજસ્થાન રૉયલ્સ માટે નેટ બોલિંગ કરવાની તક મળી હતી. રવિના પિતાએ તેને ફોન કરી રૉયલ્સનો કેમ્પ છોડી પોતાની 12માની પરીક્ષા પર ધ્યાન લગાવવા માટે કહ્યું હતુ. રવિ પણ પોતાના પિતાની વાતને માનવા તૈયાર હતા. રવિએ પોતાના બંને કોચ પાસે જ્યારે આ વાત પર સલાહ માંગી તો તેમણે રવિને જણાવ્યું કે વર્લ્ડ ક્લાસ બેટ્સમેનોની સામે નેટમાં બોલિંગ કરવી કોઈ નાની વાત નથી. અહીંથી ઓળખ મળી તો ફરી ક્રિકેટર બનવાનું સપનુ સાકાર થઇ શકે છે. આ એ જ વર્ષ હતુ જ્યારે રવિની લેગ સ્પિન ક્રિકેટ જગતમાં તેની એક અલગ ઓળખ બનાવતી હતી. બાદમાં રવિએ પોતાના પિતાની વાત ન માનીને ક્રિકેટની પ્રેક્ટિસ ચાલુ રાખી અને પોતાની બોર્ડની પરીક્ષા છોડી દીધી.