અલર્ટ / ગીર-સોમનાથમાં મેઘરાજા મહેરબાન, રાવલ ડેમના દરવાજા ખોલી દેવાતા રાવલ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ

ગીર-સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા 12 કલાકથી થયેલા ધોધમાર વરસાદના કારણે રાવલ ડેમ પણ ઓવરફ્લો થયો છે. જેના કારણે રાવલ ડેમના દરવાજા ખોલી દેવાતા રાવલ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરના પાણી કોઝ-વે પર ફરી વળ્યા છે. જેના કારણે માણેકપુર ગામ જતો માર્ગ ડૂબી ગયો છે. વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. બીજી તરફ પાણીના ધસમસતા પ્રવાહમાં લોકો કોઝવે પસાર કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ