નમકીન માટે દેશભરમાં પ્રખ્યાત રતલામના ઘારી ખાનારાઓ માટે ખરાબ સમાચાર છે.
રતલામના વેપારીઓનો અનોખો નિર્ણય
વેક્સિન નહીં લેનારને નહીં મળે નમકીન
વેક્સિનેશન અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે લીધો નિર્ણય
જો તમે રસીના બંને ડોઝ લીધા નથી, તો તમને કોઈપણ સ્ટોરમાંથી નમકીન મળશે નહીં (નો વેક્સીન નો નમકીન). રસીકરણ માટે રતલામની આ અનોખી પહેલની દેશભરમાં ચર્ચા થઈ રહી છે.
વેપારી સંગઠનોએ નિર્ણય લીધો
કોરોના રસીકરણ પ્રત્યે લોકોની ઉદાસીનતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં, વહીવટી તંત્રને લોકોને રસી લેવા અંગે જાગૃત કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેથી, વહીવટીતંત્રે શહેરની ઘણી વેપારી સંસ્થાઓને લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી. ખાસ કરીને ખાણી-પીણીની દુકાનોના વેપારીઓને માત્ર એવા ગ્રાહકોને જ માલ આપવાનું કહેવામાં આવ્યું હતું જેમને રસીના બંને ડોઝ મળ્યા છે. વહીવટીતંત્રની અપીલ પર, સેવ-મીઠાના વેપારીઓએ રસીના બંને ડોઝ ન મેળવનારા લોકોને સેવ-નમકીન ન વેચવાનો નિર્ણય કર્યો.
લગ્નના કાર્ડ પર પણ છપાયો મેસેજ
ઉલ્લેખનીય છે કે વેપારીઓના આ પ્રકારના નિર્ણયથી થોડું આર્થિક નુકસાન પણ થઈ શકે છે. પરંતુ નમકીન દુકાનદારોનું કહેવું છે કે, વહીવટી તંત્ર નમકીનની સાથે અન્ય દુકાનો પર પણ કડક વલણ ન દાખવે. નમકીન દુકાનોની સાથે વહીવટી તંત્રએ લગ્ન સમારોહને લઈને પણ કડક વલણ છે. લગ્ન સમારોહમાં એવા લોકો જેમણે કોરોના વેક્સિન ન લીધી હોય તેમના માટે લગ્ન સમારોહ સ્થળ પર વેક્સિનેશન માટે અલગ એક સ્ટોલ લગાવવામાં આવી રહ્યો છે. આ સિવાય લગ્નના કાર્ડ પર પણ વેક્સિનેશન જાગૃતિ માટેના લખાણ લખવામાં આવી રહ્યા છે.
દેશમાં ગત 24 કલાકમાં નોંધાયેલ કોરોનાના કેસ
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહીં એ તો આવનારો સમય બતાવશે. પણ હાજર સમયમાં કોરોના સંપૂર્ણ કાબૂમાં આવતો જોવા મળી રહ્યો છે. દેશમાં 287 દિવસમાં એટલે કે મંગળવારે સૌથી ઓછા કોરોનાના મામલા સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ભારતમાં આજે 24 કલાકની અંદર કોરોનાના 8865 નવા કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે આનાથી મરનારાની સંખ્યા 197 રહી છે.
એક્ટિવ કેસ 525 દિવસમાં સૌથી ઓછા
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં 24 કલાકમાં નવા કેસની સરખામણીએ રિકવરી કરનારાની સંખ્યા વધારે છે. ગત 24 કલાકમાં 11971 દર્દી સાજા થઈ ચૂક્યા છે. ત્યારે દેશમાં અત્યાર સુધીમાં 130792 એક્ટિવ કેસ બચ્યા છે. જે 525 દિવસમાં સૌથી ઓછા છે. ડેલી પોઝિટિવિટી રેટ પણ ઘટીને 0.80 ટકા પર આવી ગયો છે.
નવા મામલા આવ્યા બાદ 3 હજાર 303 મામલાનો ઘટાડો નોંધાયો
ઉલ્લેખનીય છે કે નવા મામલા આવ્યા બાદ 3 હજાર 303 મામલાનો ઘટાડો નોંધાયો છે. નવા આંકડા બાદ હાલમાં દેશમાં 1 લાખ 30 હજાર 793 એક્ટિવ કેસ છે. ત્યારે અત્યાર સુધીમાં 3 કરોડ 38 લાખ 61 હજાર 756 લોકો સાજા થયા છે. નવા મામલા મળ્યા બાદ દેશમાં કોરોનાના કુલ મામલાની ખરાઈ કરી જે સંખ્યા 3 કરોડ 44 લાખ 56 હજાર 401 થઈ ગઈ છે.
રસીકરણની સ્થિતિ શું છે
ત્યારે રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધી 1 અરબ 12 કરોડ 97 લાખ 84 હજાર 45 ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાંથી 59 લાખ 75 હજાર 459 ડોઝ સોમવારે અપાયા છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી મળતી માહિતી મુજબ દેશમાં 75 કરોડ 50 લાખ 64 હજાર 850 ને પહેલો ડોઝ લાગી ચૂક્યો છે અને 37 કરોડ 51 લાખ 62 હજાર 789 ને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.