મધ્ય પ્રદેશના રતલામનુ મહાલક્ષ્મી મંદિર દર વર્ષે ફૂલોથી નહીં, પરંતુ કરોડોની રોકડ અને સોના-ચાંદીથી સજાવવામાં આવે છે. આ વખતે પણ અહીં કરોડો રૂપિયાની સજાવટ કરવામાં આવી છે. આ મંદિરમાં ઘણા રાજ્યોમાંથી લોકો દર્શન કરવા આવે છે.
મહાલક્ષ્મી મંદિરને નોટ અને ચાંદીથી સજાવવામાં આવે છે
ભક્તોને પ્રસાદમાં મળે છે નોટ અને સોનુ-ચાંદી
અહીં દરેક પ્રકારની મુદ્રા ચઢાવવામાં આવે છે
મહાલક્ષ્મી મંદિરને દિવાળીના દિવસે નોટ અને ચાંદીથી સજાવાય છે
અહીં શ્રદ્ધાળુઓને પ્રસાદ તરીકે નોટ અને સોનુ-ચાંદી આપવામાં આવે છે. મધ્ય પ્રદેશના રતલામમાં મહાલક્ષ્મી મંદિરને દિવાળીના દિવસે ફૂલોથી નહીં, પરંતુ નોટ અને ચાંદીથી સજાવવામાં આવે છે. ધનેતરસે આ મંદિરમાં માં લક્ષ્મીની પૂજા કરવાામાં આવે છે. આ દિવસે લોકો સોના-ચાંદી વગેરેની ખરીદી કરે છે. અહીં દરેક પ્રકારની મુદ્રા ચઢાવવામાં આવે છે. ધનતેરસથી લઇને પાંચ દિવસના દીપ ઉત્સવનુ આયોજન કરવામાં આવે છે. મંદિરની દિવાલ અને માંની મૂર્તિની સજાવટ નોટો દ્વારા કરવામાં આવે છે. મંદિરમાં રહેલ ઝાલરને નોટથી સજાવવામાં આવે છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે.
મંદિરની સુરક્ષા કડક છે
આ મંદિરને એક અથવા બે લાખથી નહીં, પરંતુ કરોડોની નોટથી સજાવવામાં આવે છે. હવે આટલા નોટ જો ચઢાવવામાં આવી રહ્યાં છે તો વિશ્વાસ કરો કે મંદિરની સુરક્ષા પણ સખત હશે. અહીં દર વર્ષે સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યાં સુધી પૂજા-પાઠ થાય છે ત્યાં સુધી મંદિરની ચારેય બાજુ પોલીસ પહેરો આપે છે.
જાણો શું છે મંદિરની પૌરાણિક કથા
આ મંદિરમાં પણ ભક્તો દર્શન કરવા આવે છે, ભક્તોને પ્રસાદમાં નોટ આપવામાં આવે છે. ઘણા ભક્તોને તો પ્રસાદી તરીકે સોનુ-ચાંદી પણ મળે છે. જો મંદિરની પૌરાણિક કથા પર વિચાર કરીએ તો એવુ માનવામાં આવે છે કે પ્રાચીન કાળમાં રાજા-મહારાજા સુખ સમૃદ્ધી અને ધનની પ્રાપ્તિ માટે મંદિરમાં પૈસાની સાથે આભૂષણ ચઢાવવા આવતા હતા. ત્યારબાદ અહીં નોટ ચઢાવવાની પરંપરા શરૂ થઇ ગઇ.