જો તમે રેશન કાર્ડના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે છે. રાજ્ય સરકાર સમય પ્રમાણે રેશન કાર્ડની યાદીને અપડેટ કરે છે. જેમાં ગોટાળો થતાં રેશન કાર્ડને રદ્દ કરી દેવામાં આવ્યું છે. જે હેઠળ જો તમે લાંબા સમયથી તમારા રેશન કાર્ડનો ઉપયોગ અનાજ લેવા માટે કર્યો નથી. તો તમારું કાર્ડ રદ્દ થઇ શકે છે.
રેશન કાર્ડના લાભાર્થી માટે કામની વાત
રેશન કાર્ડનો ઉપયોગ અનાજ લેવા માટે નહીં કરો તો રદ્દ થઇ શકે રેશન કાર્ડ
રેશન કાર્ડ ધરાવતા પરિવારોને અનાજ પુરૂ પાડવામાં આવે છે
રદ્દ થઇ શકે છે તમારું રેશન કાર્ડ
મહત્વનું છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ રેશન કાર્ડ ધરાવતા પરિવારોને ખાદ્યાન્ન પુરૂ પાડવામાં આવે છે. જેમાં જન વિતરણ પ્રણાલી હેઠળ પરિવારમાં સભ્યોની સંખ્યાના આધારે ખૂબ જ સસ્તા દરો પર સરકાર નાગરિકોને રેશન આપી રહી છે. જેનો ઉદ્દેશ્ય ગરીબ પરિવારોની આર્થિક મદદ કરવાનો છે. ખરેખર, રેશનમાં તમે ક્યા મહિને કેટલુ રેશન લીધુ અને તમારા પરિવારમાં કેટલા સભ્ય છે, તેની જાણકારી રેશન કાર્ડfood-grainsમાં હોય છે. નિયમ મુજબ, પીડીએસ પર તમને અનાજ ત્યારે મળશે જ્યારે તમારા નામ પર રેશન કાર્ડ હશે. પરંતુ હાલમાં એવા ઘણા મામલા સામે આવ્યાં છે. જેમાંથી એવા બધા રેશન કાર્ડને રદ્દ કરી દેવામાં આવ્યાં છે, જેનો ઉપયોગ લાંબા સમયથી થયો નથી.
જાણો શું છે નિયમ?
વિભાગ મુજબ, જો કોઈ રેશન કાર્ડ હોલ્ડરે છ મહિનાથી રેશન લીધુ નથી તો નિયમ મુજબ આ સાબિત થાય છે કે તેને સસ્તા દર પર મળી રહેલા પુરવઠાની જરૂર નથી અથવા પછી તે રેશન લેવા માટે પાત્ર નથી. એવામાં આ કારણને આધાર બનાવીને છ મહિનાથી રેશન નહીં લેનારા લાભાર્થીનું રેશન કાર્ડ રદ્દ કરી દેવામાં આવે છે. રાજધાની દિલ્હી, બિહાર, ઝારખંડમાં પણ રેશનને લઇને આવો નિયમ લાગુ છે.