જો તમે રાશન કાર્ડના લાભાર્થી છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. કેન્દ્ર સરકારે રાશનની દુકાનો માટે જરૂરી નિયમો બનાવ્યા છે જેથી લાભાર્થીઓને યોગ્ય માત્રામાં અનાજ મળી રહે.
સરકારી રાશનનો લાભ ઉઠાવતા હોય તો વાંચી લો
સરકારે રાશનને લઈને નવો નિયમ કર્યો લાગુ
જાણો તેના વિશે ડિટેલ્સ
જો તમે રાશન કાર્ડ ધારક છો અને સરકારી રાશનનો લાભ ઉઠાવો છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. રાશન લાભાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકારે જરૂરી નિયમો બનાવ્યા છે. હકીકતે રાશન ક્વોટેબલ લોકોને ઘણી વખત વજનમાં કૌભાંડ કરીને ઓછું રાશન આપ આપવામાં આવે છે. તેથી સરકારે હવે રાશનની દુકાનો પર ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ ફરજિયાત બનાવ્યું છે.
વિભાગે લાગુ કર્યા આ જરૂરી નિયમ
મહત્વનું છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાએ રાશન લાભાર્થીઓને યોગ્ય માત્રામાં રાશન મળે તેના માટે કેન્દ્ર સરકારે રાશનની દુકાનો પર ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ ઉપકરણોને ઈલેક્ટ્રોનિક ત્રાજવા સાથે જોડવું જરૂરી કરી દીધુ છે. સરકારે લાભાર્થીઓ માટે રાશન તેલતી વખતે તેમાં પારદર્શિતા વધારવા અને કૌભાંડ રોકવા માટે પગલા ભર્યા છે.
જાણો શું કહે છે નિયમ
સરકાર અનુસાર, 'TPDSના સંચાલનની પારદર્શિતામાં સુધારના માધ્યમથી વધુની ધારા 12 હેઠળ રાશન તોલમાં સુધાર પ્રક્રિયાને વધારે આગળ વધારવા માટે એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ સરકાર દેશના લગભગ 80 કરોડ લોકોને પ્રતિ વ્યક્તિ દર મહિને 5 કિલો ઘઉં અને ચોખા ક્રમશઃ 2-3 રૂપિયા પ્રતિ કિલોના વ્યાજબી ભાવે આપી રહી છે.'
શું થયો ફેરફાર?
સરકારના એક અધિકારીએ જણાવ્યું કે ઈપીઓએસ ઉપકરણોથી રાશન આપતા રાજ્યોને પ્રોત્સાહિત કરવા માટે 17.00 રૂપિયા ક્વિંટલના વધુ નફાથી બચતને વધારી દેવા માટે ખાદ્ય સુરક્ષા 2015ના ઉપ-નિયમ (2)ના નિયમ 7માં સંશોધન કરવામાં આવ્યું છે.
નવા નિયમો હેઠળ પોઈન્ટ ઓફ સેલ ડિવાઈઝ ખરીદવા માટે અને તેની સંભાળ માટે અલગથી માર્જિન આપવામાં આવશે.