રાશન કાર્ડના લાભાર્થીઓે માટે એક અતિ મહત્વના સમાચાર આવ્યા છે. સરાકરે ફ્રી રાશનનો સમયગાળો વધારી દીધો છે.
ફ્રી રાશનના નિયમો બદલાઈ રહ્યા છે
પાત્ર લોકોને જ મળશે રાશન
આ લોકોને લાગશે મોટો ઝટકો
રાશન કાર્ડના લાભાર્થીઓે માટે એક અતિ મહત્વના સમાચાર આવ્યા છે. સરાકરે ફ્રી રાશનનો સમયગાળો વધારી દીધો છે. અન્ન અને પુરવઠા વિભાગે રાશન કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો છે. સરકારી રાશનની દુકાનમાંથી રાશન લેનારા પાત્ર લોકો માટે નક્કી કરેલા નિયમોમાં અને માપદંડોમાં ફેરફાર કર્યો છે. નવા માપદંડો લગભગ તૈયાર થઈ ગયા છે. એટલુ જ નહીં, આ સંબંધમાં રાજ્ય સરકારો સાથે કેટલીય વખત બેઠકો પણ થઈ ચુકી છે. તો આવો જાણીએ શું છે નવી જોગવાઈઓ...
ધનાઢ્ય લોકો પણ લઈ રહ્યા છે લાભ
અન્ન અને પુરવઠા વિતરણ વિભાગના જણાવ્યા અનુસાર, હાલના સમયમાં દેશભરમાં 80 કરોડ લોકો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટનો લાભ ઉઠાવી રહ્યા છે. તેમાંથી કેટલાય લોકો એવા પણ છે, જે આર્થિક રીતે સંપન્ન છે. તેને ધ્યાનમાં રાખતા સાર્વજનિત વિતરણ મંત્રાલયે માપદંડોમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, હવે નવા
શા માટે થઈ રહ્યો છે ફેરફાર
આ સંબંધમાં ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગે જણાવ્યું છે કે, માપદંડોમાં ફેરફારને લઈને રાજ્યો સાથે બેઠક કરવામાં આવી છે. રાજ્યો દ્વારા આપવામાં આવેલી ભલામણોને પણ સામેલ કરતા પાત્ર લોકો માટે નવા માપદંડો તૈયાર કરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં આ માપદંડોને ફાઈનલ કરી દેવામાં આવશે. નવા માપદંડ લાગૂ થયા બાદ ફક્ત પાત્ર લોકો તેનો લાભ લઈ શકશે, અપાત્ર લોકો લાભ લઈ શકશે નહીં. આ ફેરફાર જરૂરિયાતમંદ લોકોને ધ્યાનમાં રાખતા લેવામાં આવ્યો છે.
વન નેશન, વન રાશન કાર્ડ યોજના
અન્ન અને પુરવઠા વિતરણ વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી વન નેશન, વન રાશન કાર્ડ યોજના 32 રાજ્યો અને યુટીમાં લાગૂ થઈ ચુકી છે. કરોડો લાભાર્થીઓ એટલે કે, NFSA અંતર્ગત આવતી 86 ટકા વસ્તી આ યોજનાનો લાભ લઈ રહી છે. દર મહિને લગભગ 1.5 કરોડ લોકો એક સ્થાનેથી બીજા સ્થાન પર જઈને તેનો લાભ લઈ રહ્યા છે.