દેશભરમાં 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર્સ (CSCs)માં હવે રાશન કાર્ડ સંબંધિત સેવાઓ ઉપલબ્ધ થશે. આ સેન્ટર પર રાશન કાર્ડ સંબંધી દરેક સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે. ચાલો જાણીએ ડિટેલ્સ.
આ સેવાઓમાં નવા રાશન કાર્ડ માટે અરજી જેવી વિગતો અપડેટ કરવી અને તેને આધાર સાથે લિંક કરવું સામેલ છે. આ પગલાંથી સમગ્ર દેશમાં 23.64 કરોડ રાશન કાર્ડ ધારકોને સીધો ફાયદો થશે. ગ્રાહક મામલે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય હેઠળ સીએસસી ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ સાથે કરાર કર્યો છે.
CSCમાં રાશન કાર્ડ ધારકોને કઈ સેવાઓ ઉપલબ્ધ થશે
આ કરારનો હેતુ અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રાશનની સપ્લાયને સરળ બનાવવા અને જાહેર વિતરણ વ્યવસ્થા (PDS)ને મજબૂત બનાવવાનો છે. અન્ન અને જાહેર વિતરણ વિભાગ અને CSCએ દેશમાં 3.7 લાખ CSC દ્વારા રાશન કાર્ડ સેવાઓ માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી સાથે, દેશભરમાં 23.64 કરોડ રાશન કાર્ડ ધારકો નજીકની CSC જઈને તેમની વિગતો સરળતાથી અપડેટ કરી શકશે. લોકો અહિંયા રાશન કાર્ડની ડુપ્લિકેટ કોપી પણ મેળવી શકશે. કાર્ડને આધાર સાથે લિંક કરી શકશે, રાશનની વિશે માહિતી મેળવી શકશે અને ફરિયાદ નોંધાવી શકશે.
તમે સીએસસીમાં નવા રાશન કાર્ડ માટે પણ અરજી કરી શકો છો
હાલના રાશન કાર્ડ ધારકો નજીકના CSCની મુલાકાત લઈને નવા રાશન કાર્ડ માટે અરજી કરી શકે છે. CSC ઇ-ગવર્નન્સ સર્વિસીઝ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર દિનેશ ત્યાગી (Dinesh Tyagi)એ જણાવ્યું કે, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ સાથે અમારી ભાગીદારી પછી અમારા ગ્રામ્ય સ્તરના ઉદ્યોગસાહસિકો (VLEs) સંચાલિત CSCs એવા લોકો સુધી પહોંચી શકશે જેમની પાસે રાશન કાર્ડ નથી. તેઓ જાહેર વિતરણ વ્યવસ્થા અને મફત રાશનની વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે તેમની મદદ કરશે. તમને જણાવી દઈએ કે, 1 જૂન, 2020થી દેશમાં રાશન કાર્ડ પોર્ટેબિલિટી સેવા 'વન નેશન-વન રેશન કાર્ડ' શરૂ થઈ છે. આ યોજનામાં તમે કોઈપણ રાજ્યમાં રહીને રાશન ખરીદી શકો છો. બીજા શબ્દોમાં કહીએ તો તમે ગમે હોવ તમારે ત્યાં ખાવાનું સામાન ખરીદવાની ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ રાશનની દુકાને જઈને તમારા રાશન કાર્ડની મદદથી તમે અનાજ મેળવી શકો છો.