રાશન કાર્ડને લઈને સરકારે જાહેર કરાયેલા નવા નિયમ અનુસાર ગ્રાહક અન્ય ડીલર પાસેથી પણ રાશન લઈ શકે છે. સપ્ટેમ્બરમાં આ નવી વ્યવસ્થા રાંચી જિલ્લામાં પણ લાગૂ કરાઈ છે.
હવે અન્ય ડીલરની પાસેથી પણ રાશન લઈ શકશે ગ્રાહકો
સપ્ટેમ્બરથી રાંચીમાં પણ લાગૂ થઈ નવી વ્યવસ્થા
જાણી લો શું છે સરકારનો પ્લાન
રાશન કાર્ડ ધારકોને લઈને સારા સમાચાર આવ્યા છે. વન નેશન વન રાશન કાર્ડના આધારે લાભાર્થી સપ્ટેમ્બર મહિનાથી પોતાની નજીકના રાશન ડીલર પાસેથી રાશન લઈ શકશે. એટલે કે તમે રાશન ડીલરને પોતાની ઈચ્છા અનુસાર બદલી શકો છો. આ માટે એક સરકારી જાહેરાત આપવામાં આવી છે. તેના અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાની પાસે રાશનકાર્ડ લઈને આવે છે તો ત્યાં હાજર ડીલરે તેને રાશન હશે તો આપવાનું રહેશે. તેઓ તેને ખાલી હાથે પરત મોકલી શકશે નહીં.
લાભાર્થીઓ માટે સારા સમાચાર
રાંચી જિલ્લાના તમામ અધિકારીઓને આ માટેના આદેસ આપી દેવામાં આવ્યા છે. રાશન લેનારા કાર્ડ અધિકારીઓની સાથે એ સમસ્યા રહે છે કે કેટલાક ડીલર અનેક પ્રકારની મનમાની કરે છે પણ આ વ્યવસ્થાના કારણે ગ્રાહકો પાસે ઓપ્શન રહે છે કે તેઓ આ પ્રકારના ડીલર પાસેથી રાશન લેવાનું બંધ કરી દે.
વિભાગ પહોંચાડશે રાશન
આ વ્યવસ્થાના આધારે જો કોઈ એક રાશન ડીલરની પાસે તેના નક્કી લાભાર્થીઓ પાસે રાશન પહોંચાડે છે તો તેવા ડીલરને પ્રશાસનના આપૂર્તિ વિભાગ દ્વારા રાશન આપવામાં આવે છે જેથી દરેકને સરળતાથી રાશન મળી શકે. આ આદેશને જાહેર કર્યા બાદ જો કોઈ કોટેદાર રાશન આપવામાં આનાકાની કરે છે તો તેની પર કાર્યવાહી કરાશે. રાશનની દુકાન પર અનેક વાર અનેક પ્રશ્નો જોવા મળે છે. એવામાં જો લાભાર્થી કોઈ વિશેષ રાશનની દુકાનથી રાશન લેવા ઈચ્છે તો તેની પર સરકારી રીતે મંજૂરી મળી શકે છે.