સરકાર ઓછી આવકવાળા લોકોની મદદ માટે દર મહિને ફ્રી રાશનની સુવિધા આપે છે. દર મહિને પ્રત્યેક રાશન કાર્ડ ધારકને ઘઉં, ચોખા, દાળ વગેરે મફતમાં અથવા વ્યાજબી ભાવે આપવામાં આવે છે.
રાશન કાર્ડ સંબંધિત આ કામ કરાવી લેજો
આધાર સાથે રાશન કાર્ડ લિંક કરવું ખૂબ જરૂરી
ઘરે બેઠા પણ કરી શકશો આ કામ
રાજ્ય અને કેન્દ્ર સરકાર દેશમાં આર્થિક રીતે નબળાં વર્ગની મદદ માટે કેટલીય યોજનાઓ ચલાવી રહી છે. જેમાં મહત્વની છે ફ્રી રાશન યોજના. આ યોજના અંતર્ગત સરકાર ઓછી આવકવાળા લોકોની મદદ માટે દર મહિને ફ્રી રાશનની સુવિધા આપે છે. દર મહિને પ્રત્યેક રાશન કાર્ડ ધારકને ઘઉં, ચોખા, દાળ વગેરે મફતમાં અથવા વ્યાજબી ભાવે આપવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, કોરોના મહામારી દરમિયાન સરકારે લગભગ 80 કરોડ લોકોને મફત રાશન આપ્યું હતું. ત્યારે આવા સમયે જો આપ પણ ફ્રી રાશન સ્કીમ સુવિધાનો લાભ ઉઠાવવા માગો છો, તો આપની પાસે સૌથી પહેલા રાશન કાર્ડ હોવું જરૂરી છે. આપને જણાવી દઈએ કે, આપ આપના રાશન કાર્ડનું આઈડી પ્રુફ તરીકે ઉપયોગ કરી શકો છો.
જરૂરી છે રાશન કાર્ડને આધાર સાથે લિંક કરવું
રાશન કાર્ડથી જો આપ ફ્રી રાશન યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છો, તો આપ આ કામ ફટાફટ પતાવી લેજો. તે કામ છે રાશન કાર્ડથી આધાર કાર્ડ લિંક કરવાનું. આધાર કાર્ડમાં આપના બાયોમેટ્રિક જાણકારી નોંધવામાં આવે છે, જે આપની ઓળખાણ છે. ત્યારે આવા સમયે આપ રાશન કાર્ડમાં પોતાનું આધાર કાર્ડ લિંક કરાવવું ખૂબ જ જરૂરી છે. જો આપે પણ હજૂ સુધી રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યુ નથી તો, ફટાફટ કરાવી લેજો. નહીંતર આપનું રાશન કાર્ડ બંધ થઈ જશે.
આવી રીતે રાશન કાર્ડને આધાર સાથે કરાવો લિંક
સૌથી પહેલા UIDAIની સત્તાવાર વેબસાઈટ uidai.gov.in પર જાઓ
ત્યાં આપવામાં આવેલા Start Now ઓપ્શન પર ક્લિક કરો
એડ્રેસમાં પોતાના જિલ્લાનું નામ, રાજ્ય વગેરે જાણકારી આપો.
Ration Card Benefit ઓપ્શન પસંદ કરો
આધાર નંબર, રાશન કાર્ડ નંબર અને ઈમેલ આઈડી ભરો
ઓટીપી નાખતા આપનો આધાર નંબર વેરિફાઈ થઈ જશે
ત્યાર બાદ આપનું રાશન કાર્ડ આપના આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે.