રાશનકાર્ડ એક એવો દસ્તાવેજ છે, જેના દ્વારા તમને સસ્તા ભાવે રાશન મળે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ડીલર રાશનકાર્ડ ધારકોને રાશન આપવામાં આનાકાની કરે છે અથવા પછી બીજા કારણોસર રાશન તોલીને આપી દે છે. જો તમારી સાથે પણ કઈક આવુ થાય છે તો બિલ્કુલ પણ પરેશાન ના થશો.
ડીલર તમને રાશન આપવાની આનાકાની કરે છે તો ગભરાશો નહીં
તમે નીચે જણાવેલા નંબરો પર સંપર્ક કરી ડીલર સામે ફરિયાદ કરી શકો છો
રાશન કાર્ડ ધારકને પોતાનો ભોજન કોટા પ્રાપ્ત થતુ નથી તો કરી શકે છે ફરિયાદ
તમે પણ ડીલરની સામે ફરિયાદ નોંધાવી શકો છો
સરકાર તરફથી રાજ્ય પ્રમાણે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યાં છે. જો તમને પણ ઓછુ રાશન મળી રહ્યું છે તો તમે પણ આ નંબરો પર સંપર્ક કરીને ડીલરની સામે ફરિયાદ નોંધાવી શકો છો. સરકાર ભ્રષ્ટાચારને ઘટાડવા અને ખાદ્યાન્ન વિતરણ નક્કી કરવા માટે ફરિયાદ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યાં છે. કારણકે સબસિડીવાળા રાશન ગરીબો સુધી પહોંચી શકે. જો કોઈ રાશન કાર્ડ ધારક પોતાનો ભોજન કોટા પ્રાપ્ત કરી શકતુ નથી તો તેઓ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર પર કોલ કરી પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.
આ લિન્ક પર કરો વિઝીટ
મહત્વનું છે કે તમે પોતાના રાજ્યના ટોલ ફ્રી નંબર નેશનલ ફૂડ સિક્યોરિટી પોર્ટલની આ લિન્ક https://nfsa.gov.in/portal/State_UT_Toll_Free_AA પર વિઝીટ કરી દરેક રાજ્યના નંબર નિકાળી શકો છો. અવાર-નવાર જોવામાં આવ્યું છે કે રાશન કાર્ડ માટે એપ્લાય કર્યા હોવા છતાં ઘણાં લોકોને ઘણા મહિના સુધી રાશન કાર્ડ મળી શકતુ નથી. એવામાં તેઓ તેની ફરિયાદ પણ આ નંબર દ્વારા સરળતાથી કરી શકે છે.