નેશનનલ ફૂડ સિક્યોરિટી પોર્ટલ પર દરેક રાજ્યોના અલગ ટોલ ફ્રી નંબર આપ્યા છે જેની મદદથી તમે રાશન કાર્ડ સાથેની સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો.
રાશન કાર્ડ ધારકોને મળશે નવી સુવિધા
જો કોઈ પણ ફરિયાદ હોય તો આ નંબરો પર કરો કોલ
મળશે સમસ્યાનો ઉકેલ, સેવ કરી લો નંબર
રાશન કાર્ડ એક સરકારી ડોક્યૂમેન્ટ બન્યો છે જેનાથી સરકારી વિતરણ પ્રણાલીના આધારે ઉચિત દરની દુકાનોથી ઘઉં, ચોખા વગેરે બજાર ભાવથી ઓછા ભાવે ખરીદી શકાય છે પણ ખાદ્ય વિતરણને લઈને વારેઘડી ફરિયાદ આવી રહી છે કે રાશન ડીલર કાર્ડ ધારકોને તેમના ભાગનું અનાજ આપવામાં આનાકાની કરે છે. જો તમે પણ આવી કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તમે અહીં તમારા રાજ્યના આપેલા ટોલ ફ્રી નંબર પર ફોન કરીને તરત જ ફરિયાદ કરી શકો છો.
NFSAની વેબસાઈટ પર પણ કરી શકાય છે ફરિયાદ
નેશનલ ફૂડ સિક્યોરિટી પોર્ટલ પર રાજ્યોના માટે અલગ અલગ ટોલ ફ્રી નંબર અપાયા છે. તમે ઈચ્છો તો NFSAની વેબસાઈટ https://nfsa.gov.in પર પણ જઈ શકો છો. આ વેબસાઈટ પર મેલની મદદથી કે ફોનની મદદથી ફરિયાદ કરી શકો છો. અહીં દરેક રાજ્યોના અલગ અલગ ટોલ ફ્રી નંબર પણ છે. તમને જણાવી દઈએ કે દરેક રાજ્યમાં રાશન કાર્ડ બનાવવાની પ્રક્રિયા પણ અલગ અલગ હોય છે.
ભ્રષ્ટાચારને ઘટાડવા માટે કરાઈ છે આ વ્યવસ્થા
સરકાર ભ્રષ્ટાચારને ઘટાડવા માટે અને સાથે ખાદ્ય વિતરણને નક્કી કરવા માટે ફરિયાદ હેલ્પલાઈન નંબર જાહેર કરી ચૂકી છે જેથી સબ્સિડી રાશન ગરીબો સુધી પહોંચી શકે. કેન્દ્ર સરકાર ગરીબ લોકોને માટે અનાજની દગાખોરીમાં સામેલ રાશન ડીલરો સાથે પ્રભાવી રીતે ઉકેલ લાવવાની શક્ય તમામ કોશિશ કરી રહી છે. જો કોઈ રાશન કાર્ડ ધારક ભોજનનો કોટા પ્રાપ્ત નથી કરી રહ્યા તો તેઓ પણ ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકે છે.
ફરિયાદ માટે જાણી લો રાજ્યના ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર