દેશમાં લગભગ 24 કરોડ રાશન કાર્ડ ધારકોને લઈને મોટા સમાચાર આવ્યા છે. દેશમાં રાશન કાર્ડને આધારથી લિંક કરવાની સમય સીમા ખતમ થવા આવી છે. આ માટે હવે તમારી પાસે માત્ર 12 દિવસનો સમય રહ્યો છે. આ દિવસોમાં તમે રાશન કાર્ડને આધાર સાથે લિંક કરાવી શકશો નહીં તો આવનારા દિવસોમાં રાશન કાર્ડ ધારકોને સરકારી યોજનાઓનો લાભ મળી શકશે નહીં. તો 30 સપ્ટેમ્બર પહેલાં તમારું રાશન કાર્ડ આધાર સાથે લિંક કરી લો તે જરૂરી છે.
રાશન કાર્ડ ધારકોને લઈને મોટા સમાચાર
રાશન કાર્ડને આધાર સાથે કરાવી લો લિંક
ફક્ત 12 દિવસનો સમય રહ્યો છે બાકી
રાશન કાર્ડ જો તેનું કાર્ડ આધાર સાથે લિંક નહીં કરે તો તમારું નામ રાશન કાર્ડમાંથી કાઢી દેવામાં આવશે. આ માટે જેઓએ હજુ સુધી આ કામ કર્યું નથી તેઓ 30 સપ્ટેમ્બર પહેલાં તેને લિંક કરાવી લે તે જરૂરી છે. કેન્દ્ર સરકારે આ નિયમને લઈને રાજ્ય સરકારને એલર્ટ જાહેર કર્યું છે. દેશમાં અત્યારે 23.5 કરોડ રાશન કાર્ડ ધારકો છે. જેમાંથી 90 ટકા લોકોએ આધાર અને પાન સાથે લિંક કરી રાખ્યા છે.
30 સપ્ટેમ્બર સુધીમાં કરી લો આધાર સાથે લિંક
રાશન કાર્ડની મદદથી લોકો સાર્વજનિક વિતરણ પ્રણાલીના આધારે યોગ્ય દરની દુકાનોથી ખાદ્ય બજાર મૂલ્યથી ઓછા રૂપિયામાં મેળવી શકે છે. જાણો આધાર સાથે રાશન કાર્ડને લિંક કરવા તમારે કયા 5 કામ કરવાના રહેશે.
આધાર સાથે લિંક કરવા કરો આ કામ
આ માટે પીડીએસ સેન્ટર પર રાશન કાર્ડની કોપી અને પરિવારના દરેક સભ્યોના આધાર કાર્ડની કોપી જમા કરાવો.
રાશન કાર્ડમાં પરિવારના મુખ્ય વ્યક્તિનો પાસપોર્ટ સાઈઝ ફોટો જોઈશે.
બાયોમેટ્રિક મશીન પર આંગળી રાખીને ડેટા મેળવી શકાશે.
આધાર સાથે રાશન કાર્ડ લિંક નહીં હોય તો નહીં મળી શકે આ સેવાનો લાભ
કેન્દ્ર સરકારની મહાત્વાકાંક્ષી યોજના વન નેશન વન રાશન કાર્ડમાં 26 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જોડાયેલા છે. આ રાજ્યોમાં પોર્ટેબિલિટી સેવા શરૂ કરાઈ છે. દેશમાં માર્ચ 2021 સુધી 81 કરોડથી વધુ લોકો આ યોજનામાં જોડાય તેવી શક્યતા છે. આ યોજના સાથે જોડાવવા માટે દેશની અડધી વસ્તીને લાભ મળશે. કેન્દ્ર સરકારની કોશિશ છે કે 31 માર્ચ 2021 સુધીમાં દેશના દરેક રાજ્યોને વન નેશન વન રાશન કાર્ડ યોજનાનો લાભ મળે.