અમદાવાદમાં મુસ્લિમ બિરાદરોએ ભગવાનને ચાંદીનો રથ અર્પણ કર્યો, છેલ્લા 21 વર્ષથી મુસ્લિમ સમાજ દ્વારા નાથને ચાંદીનો રથ કરાય છે અર્પણ
અમદાવાદના જગન્નાથ મંદિરમાં જોવા મળ્યા કોમી એખલાસના દ્રશ્યો
મુસ્લિમ બિરાદરોએ ભગવાનને ચાંદીનો રથ અર્પણ કર્યો
છેલ્લા 21 વર્ષથી મુસ્લિમ સમાજ દ્વારા નાથને ચાંદીનો રથ અર્પણ કરાય છે
અમદાવાદના જગન્નાથ મંદિરમાં જોવા મળ્યા કોમી એખલાસના દ્રશ્યો જોવા મળ્યા છે. મુસ્લિમ બિરાદરોએ ભગવાનને ચાંદીનો રથ અર્પણ કર્યો છે. છેલ્લા 21 વર્ષથી મુસ્લિમ સમાજ દ્વારા નાથને ચાંદીનો રથ અર્પણ કરાય છે. રથયાત્રાને લઇ મંદિરમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જગન્નાથ મંદિરમાં ત્રણેય રથને મુકવામાં આવ્યા છે. નાથના રથને ખલાસીઓ દ્વારા મંદિરમાં લાવવામાં આવ્યા છે. રથયાત્રાના પ્રસ્થાન પહેલા 15 ગજરાજો મંદિરના પ્રાંગણમાં યજમાન દ્વારા પૂજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 18ને બદલે 15 ગજરાજો રથયાત્રામાં સામેલ થશે.
રથયાત્રાને લઈને VTV પર અષાઢી બીજની સવારે 4-00 વાગ્યાથી અવિરત કવરેજ રહેશે. VTV પર વહેલી સવારથી નાથના દર્શનનો લાભ મળશે. રથયાત્રાના રૂટનું પળેપળનું અપડેટ આપના સુધી પહોંચાડશે. કોરોનાની મહામારીમાં VTV આપને ભગવાન જગન્નાથના દર્શન કરાવશે. અમદાવાદના તમામ રૂટ પર VTVના સંવાદદાતા પળેપળની માહિતી આપશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મંગળા આરતીમાં રહેશે હાજર
અમદાવાદમાં રથયાત્રાના એક દિવસ અગાઉ CM રૂપાણી જગન્નાથ મંદિરના દર્શન માટે પહોંચ્યા હતા. જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. તો આવતીકાલ સવારે મંગળા આરતીના દર્શન માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. તેમની સાથે મુખ્યમંત્રી સહિતના નેતાઓ પણ હાજર રહેશે.