આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે કે કેમ તેની અસમંસજ છે પરંતુ પૌલીસ દ્વારા તેમની તૈયારીઓ શરુ કરી અને સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર તેમજ પોલીસ પેટ્રોલિંગ શરુ કરી દેવાયું
રથયાત્રાને લઈને પ્રશાસન સજ્જ
પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ
રથયાત્રાના રૂટ ઉપર પોલીસે કર્યું પેટ્રોલિંગ
રથયાત્રાની તૈયારીના ભાગરુપે આજે સાંજે અમદાવાદમાં પોલીસ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસીપી ઝોન 3 મકરંદ ચૈહાણ અને તેમની ટીમે સમગ્ર રુટ પર પેટ્રોલિંગ કર્યું હતું. મહત્વનું છે કે, હજુ રથયાત્રા યોજાશે કે કેમ તેની અસમંસજ છે. પરંતુ પૌલીસ દ્વારા તેમની તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. અને સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર તેમજ પોલીસ પેટ્રોલિંગ શરુ કરી દેવાયું છે.
સરસપુરમાં તૈયારીઓ શરૂ
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને સરસપુરમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આવતીકાલે મામેરાના દર્શનનો કાર્યક્રમ યોજાશે. મોસાળવાસીઓ મંદિરમાં ભાણેજના મામેરાની તૈયારી કરી રહ્યા છે. પરંપરાગત અષાઢી બીજે ભાણેજોનું મામેરુ થાય છે. ભગવાનને મહારાષ્ટ્રીયન સ્ટાઈલના વાઘા, અલંકારની ભેટ ચડાવવામાં આવશે.