રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરીને રથયાત્રાનો વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો છે.
અમદાવાદમાં રથયાત્રાનો વિધિવત રીતે પ્રારંભ
AMTS-BRTS રૂટ કરાયા બંધ
રથયાત્રાના ઈતિહાસમાં પ્રથમ ઘટના બની રહી છે કે આજે રથયાત્રા કર્ફ્યૂ અને પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે યોજાઈ રહી છે. ત્યારે રથયાત્રાને લઈને અમદાવાદ AMTS અને BRTSના કેટલાક રૂટ બંધ કરવામાં આવ્યા છે તો કેટલાક ડાયવર્ટ પણ કરાયા છે. અમદાવાદના વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે રીતે નિર્ણયો લેવામાં આવ્યા છે.
આટલા બ્રિજ કરાયા બંધ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા દરમિયાન માર્ગોને પણ ડાયવર્ટ કરાયા, નહેરુબ્રીજ, ગાંધીબ્રિજ, એલિસબ્રિજ, અમદુપુરા બ્રિજ બંધ રહેશે.