છોટાઉદેપુર ખાતે રાઠવા સમાજ જાતિના દાખલા મુદ્દે આંદોલન પર ઉતર્યા છે. વહેલી સવારથી જ રાઠવા સમાજ જિલ્લા બંધને સફળ બનવવાના પ્રયાસ શરૂ થયા છે અને આંદોલનકારીઓએ ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો છે. છોટાઉદેપુરથી વડોદરા જતી ટ્રેન રોકવાનો પ્રયાસ કરતા રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી..
આ અગાઉ પાવી-જેતપુર ખાતે સમાજના આંગેવાનોએ એકત્ર થઈને શાક માર્કેટ બંધ કરાવ્યું. આ સાથે જ રસ્તા રોકીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો છે.. તો આદિવાસી સમાજને સહયોગ આપવા માટે જૈન મુનિ રાજેન્દ્રમુની મહારાજ સાહેબ પણ આગળ આવ્યા છે તેઓ 6 દિવસના પ્રતિકધરણા પર ઉતર્યા છે.
ઉલ્લેખનીય છે કે રાઠવા સમાજના જાતિના દાખલાનો વિવાદ શરૂ થયો છે. કેટલાક આદિવાસી કર્મચારીઓને જાતિના દાખલા ખોટા છે તેમ કહીને સરકારે નોટીસ આપતા આદિવાસી રાઠવા સમાજે આંદોલન શરૂ કર્યુ છે.