આજ રોજ અમદાવાદમાં શહેરમાં ભગવાન જગન્નાથની 142મીં રથયાત્રા નિકળી છે. જ્યારે સુરક્ષાને લઇને ગુજરાત પોલીસ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે આ સુરક્ષા વ્યવસ્થાનું મોનિટરિંગ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કર્યું હતું.
Cm રૂપાણીએ CCTV મોનિટરિંગ રૂમમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને કેવી કેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી તેની પળેપળની માહિતી મેળવી હતી. જ્યારે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મહત્વનું છે કે અમદાવાદમાં રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રા દરમિયાન CCTVથી પોલીસ બાજ નજર રાખી રહી છે. સાથે જ ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવી રહી છે.