કચ્છ: આવતીકાલે રથયાત્રાનું પાવન પર્વ સમગ્ર દેશમાં ઉજવવામાં આવશે. ત્યારે કચ્છમાં પણ છેલ્લા પાંચ વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે રથયાત્રાના ભાગરૂપે નવા રથનું નિર્માણ કરવામાં આવ્યું છે .
ભગવાનની પાંચમી રથયાત્રાના અવસર પર ભૂજના રહેવાસીઓમાં હરખ જોવા મળી રહ્યો છે. તો અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ અને ભગવાન જગન્નાથની રથયાત્રાનો સમન્વયથી સમગ્ર પંથકમાં બમણો આનંદ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 21 દિવસથી લોકો રથયાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે અને રથયાત્રા માટે એક ખાસ રથનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જેમાં પરિભ્રમણ દરમિયાન ઉંચા વીજ વાયરોને નડતરરૂપ ના થાય તે મુજબ રથને ફોલ્ડીંગ સિસ્ટમમાં તૈયાર કપરવામાં આવ્યું છે. જેથી રથની ઉંચાઈને અનુરૂપતા મુજબ વધારી અને ઘટાડી શકાય. તો હવે ભગવાનની નગરચર્યા માટે લોકો આવતીકાલ એટલે કે રથયાત્રાના દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આપને જણાવી દઇએ કે દેશમાં રથયાત્રા પર્વનું આયોજન 14 તારીખના રોજ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને જગન્નાથ પુરી અને અમદાવાદની રથયાત્રાનું મહાત્મય વિશેષ રહ્યું છે. ત્યારે કચ્છના નગરજનો પણ રથયાત્રા પર્વની ઉજવણી કરવા થનગની રહ્યા છે. ખાસ કરીને કચ્છીનું નવું વર્ષ આષઢી બીજથી શરૂ થઇ રહ્યું છે.