કોરોના મહામારીના કારણે ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી નહતી. આ વર્ષે કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝ સહિતની બાબતોને ધ્યાને રાખી માત્ર પૂજા વિધી જ કરવામાં આવી હતી. સવારે આરતી, પૂજા અને પહિંદ વિધી તેમજ છેડા પોરા વિધી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાવનગરના રાજવી પરિવારના સભ્ય વિજયરાજસિંહ, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ અને મેયર માનભા મોરી સહિત સંતો મહંતો ઉપસ્થિત રહ્યાં હતા. જોકે આમંત્રિત મહેમાનો સિવાય એકપણ ભક્તને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
ભાવનગર ભગવાન જગન્નાથની રથયાત્રા
માત્ર પૂજા વિધી કરવામાં આવી
34 વર્ષ જૂની પરમપરા આજે તૂટી
દેશ અને ગુજરાતમાં કોરોના ની મહામારી ના લીધે આજે ગુજરાતમાં બીજા નમ્બર ની ગણાતી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નીકળી ના હતી અને 34 વર્ષ જૂની પરમપરા આજે તૂટી હતી છેલ્લી ઘડી સુધી રથયાત્રા યોજાશે તેવો આયોજકો એ દાવો કર્યો હતો પરંતુ મોડી રાત્રીના હાઇકોર્ટ એ ગુજરાતમાં રથયાત્રા નહીં નીકળે તેમ જણાવતા આજે રથયાત્રા નીકળી ન હતી.
ભાવનગર માં આજે સવારે ભગવાન જજ્ઞાનથી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ની મૂર્તિઓ ને મંદિર ના પટાંગણમાં રથ માં બિરાજમાન કરવામાં આવી હતી અને અહીં જ પૂજાવિધિ કરવામાં આવી હતી અહીં સવારે આરતી ,પૂજા અને પહિંદા વિધિ તેમજ છેડા પોરા વિધિ કરવાંમાં આવી હતી.
માત્ર પૂજા વિધી કરવામાં આવી
અહીં ભાવનગર ના રાજવી પરિવાર ના સભ્ય વિજયરાજસિંહજી તેમજ ગુજરાત ભાજપ ના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ,સંસદ સભ્ય ભરતી શિયાળ ,મેયર મનહર મોરી ,તેમજ અનેક સન્તો મહન્તો હજાર રહ્યં હતા આ વર્ષે રથયાત્રા નગરચર્યા કરવાની ન હતી તેમજ કોરોના ની મહામારી ને લઈ ને એસોસિયલ ડીસ્ટન્ટ ,માસ્ક તેમજ સૅનેટાઇઝ સહીત ની બાબતો ને લઈ ને માત્ર પૂજા વિધિ કરવામાં આવી હતી.
ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી શું કહ્યું?
મંદિર પરિષદ માં આમન્ત્રિત સિવાય એક પણ ભક્તજનો ને આવવા દેવામાંઆવ્યા ના હતા મન્દિર ની આસપાસ ના વિસ્તારો ને બ્લોક કરી દેવામાં આવ્યા હતા જેના કારણે ભક્તજનો અહીં આવી ના શકે ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી એ અહીં જણાવ્યું હતું કે કોરોના ની સ્થિતિમાં સુપ્રીમ અને હાઇકોર્ટ ના આદેશનું હિન્દૂ સમ્પ્રદાય ના આગેવાનો અને રથયાત્રા ના આયોજકો એ સનયમ થી અપનાવ્યો છે તેની સરાહના કરું ચુ અહીં તેમને એમ પણ કહ્યું હતું કે અગાઉ પોતાના ધર્મના તહેવાર માટે કેટલાક લોકો એ કટ્ટરતા બતાવી હતી તેની સામે હિદનું આયોજકોએ સનયમ રાખ્યો છે તે આવકાર્ય છે