ભાવનગર / Rath Yatra 2020: ભાવનગરમાં 32 વર્ષની પરંપરા તુટી, જીતુ વાઘાણી સહિતના મહાનુંભાવોએ આપી હાજરી

Rath Yatra 2020 in Bhavnagar Gujarat

કોરોના મહામારીના કારણે ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી નહતી. આ વર્ષે કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝ સહિતની બાબતોને ધ્યાને રાખી માત્ર પૂજા વિધી જ કરવામાં આવી હતી. સવારે આરતી, પૂજા અને પહિંદ વિધી તેમજ છેડા પોરા વિધી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાવનગરના રાજવી પરિવારના સભ્ય વિજયરાજસિંહ, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ અને મેયર માનભા મોરી સહિત સંતો મહંતો ઉપસ્થિત રહ્યાં હતા. જોકે આમંત્રિત મહેમાનો સિવાય એકપણ ભક્તને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ