ભગવાન જગન્નાથની અમદાવાદની રથયાત્રામાં આ વખતે કોરોનાએ ભંગ પડાવ્યો છે કંઈ કેટલીક ઐતિહાસિક પરંપરાઓમાં આ વખતે ફેફાર કરવા પજ્યા છે. રથને પ્રદક્ષિણા કરતા કરતા અટકાવી દેવાયો હતો જો કે બાદમાં ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ખલાસીઓ અને મંદિરના મહંત સાથે મસલત કરીને રથયાત્રા શરૂ કરાઈ હતી.
દોઢ કલાકની મસલત બાદ પ્રદક્ષિણા શરૂ કરાઈ
પ્રદક્ષિણા અટકાવાઈ હતી
આખરે પ્રદક્ષિણા શરૂ થઈ
ભગવાન જગન્નાથની 143મી રથયાત્રામાં મંદિરમાં ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી રહ્યા છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ મંદિરમાં હાજર છે. CP અને DGP સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર છે.
અમદાવાદના જગન્નાથ મંદિરના પરિસરમાં રથયાત્રા કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે હવે જગન્નાથ મંદિરમાં ભક્તોને પ્રવેશ અપાઈ રહ્યો છે. મંદિરના પરિસરમાં આવતા તમામ ભક્તોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવે છે. સામાજીક અંતર જળવાય તે રીતે મંદિરમાં કામગીરી કરવામાં આવી રહી છે
હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી, જય રણછોડ માખણ ચોરથી મંદિર ગુંજી ઉઠ્યું છે. આ વર્ષે રથયાત્રામાં 14 હાથી અને દરેક રથ પર 10 ખલાસીઓને રહેવા મંજૂરી મળી છે.
દોઢ કલાકની મસલત બાદ પ્રદક્ષિણા શરૂ કરાઈ
દોઢ કલાક સુધી મહંતને ગૃહ રાજ્યંમંત્રી અને પોલીસવડા સાથેની બેઠક બાદ ત્રણેય રથનું મંદિર પરિસરમાં પ્રસ્થાન શરૂ થઈ ગયું છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલરામનો રથ મંદિર પરિસરમાં ફરી રહ્યો છે.
પ્રદક્ષિણા અટકાવાઈ હતી
નાથ ની પ્રદક્ષિણા મંદિરની અંદર અટકાવાઈ ખલાસીઓ બેઠા રથ પાસે મુખ્ય દ્વાર સુધી રથને લઇ જવાની પરવાનગી નહિ આપતા ખલાસીઓ નારાજ મંદિરના ટ્રસ્ટી મંડળ સહીત ગૃહમંત્રી સાથે કરી રહ્યા છે.