રથયાત્રાનો રંગચેગે પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પહિંદવિધિ કરીને રથયાત્રાને જમાલપુરના જગન્નનાથ મંદિર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું છે. તાજેતરમાં મળેલ અહેવાલ મુજબ(આ લખાઇ રહ્યું છે ત્યારે) રથયાત્રા રાયપુર ચકલા પહોંચી છે ત્યારે સરસપુર ભાણેજને આવકારવા સજ્જ થઇ ગયું છે.
ભાણેજના આગમનને પગલે સરસપુર ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. મોસાળમાં ભાણેજ બપોરનું ભોજન લેવાના હોવાથી ભાત-ભાતમાં મિષ્ઠાન બનાવવામાં આવેલ છે. સરસપુરની પોળમાં પણ વિવિધ ભોજન બનાવીને રથયાત્રામાં આવેલ ભક્તો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નનાથજીની આજે 141મી રથયાત્રા અમદાવાદના નિજમંદિરથી વહેલી સવારે નીકળી છે દરવર્ષની જેમન જગતનો નાથ આજે ફરીએકવાર નગરયાત્રાએ નિકળતા માનવ મહેરામણ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યું છે. મગ જાંબુ અને માલપૌઆનો પ્રસાદ વહેચાઇ રહ્યો છે ત્યારે આજે 12 વાગ્યાની આસપાસ રથ મોસાળમાં પહોંચશે જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાશે.