કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં કોહરામ મચી ગયો છે. એશિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટીમાં કોરોના તબાહી મચાવી રહ્યો છે. એક ગીચ વિસ્તારમાં 8થી 9 લાખની વસ્તી, ઘર એવા એ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અસંભવ. કોરોના વાયરસના કારણે મુંબઈની ધારાવીની પરિસ્થિતિનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. સંક્રમણના ખતરા વચ્ચે જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ ઝૂપડપટ્ટીઓ પર મોટું નિવેદન આપ્યું છે.
ઝૂપડપટ્ટીઓમાં કોરોના વાયરસનો હાહાકાર
રતન ટાટાએ આવાસની વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
રતન ટાટાએ કહ્યું આર્કિટેક્ટ બની ન શક્યો તે વાતનો પસ્તાવો
બિલ્ડરો પર ઉઠાવ્યા સવાલ
ભવિષ્યની ડીઝાઈન અને નિર્માણ વિષય પર એક ઓનલાઈન ચર્ચા દરમિયાન રતન ટાટાએ કહ્યું કે 'કોરોના વાયરસના કહેરે શહેરમાં રહેવાસના સંકટને ઉજાગર કર્યો છે. બિલ્ડરોએ એવા સ્લમ બનાવી દીધા છે જ્યાં સફાઈ માટે કોઈ વ્યવસ્થા નથી. જ્યાં કોઈ સમયે ઝૂપડપટ્ટીઓ હતી અમે ત્યાં ઉચ્ચ કોટીનાં આવાસ બનાવીએ છે. આપણને શરમ આવવી જોઈએ કારણ કે એક તરફ તો આપણે પોતાની સારી છવી દેખાડવા માંગીએ છે ત્યાં બીજી તરફ એક હિસ્સો છે જેને આપણે છૂપાવવા માંગીએ છે.
સામાજિક જવાબદારી યાદ અપાવી
રતન ટાટાએ વધુમાં કહ્યું કે જ્યારે લોકો ટિકા કરે છે તો આપણે નાખુશ થઇ જઈએ છે. પરંતુ એક આર્કિટેક્ટ અને બિલ્ડરના રૂપમાં સામાજિક જવાબદારી પણ બને છે. કોરોના સંકટ આપણને ચેતવણી આપી રહ્યું છે.
બિલ્ડરો અને આર્કિટેક્ટ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે બિલ્ડરોએ જાણે વર્ટિકલ સ્લમ બનાવી નાખ્યા છે. જ્યાં ના તો સાફ હવા છે, ના તો સાફસફાઈની વ્યવસ્થા કે નાં તો ખુલ્લી જગ્યા.
પોતે આર્કિટેક્ટ ન બની શક્યા તેનો પસ્તાવો
રતન ટાટાએ જણાવ્યું કે તેમના પિતા તેમને એન્જીનિયર બનાવવા માંગતા હતા. ટાટાએ કહ્યું કે બે વર્ષ સુધી અમેરિકાના લોસ એન્જીલંસમાંમાં એન્જીનિયરિંગનું શિક્ષણ પ્રાપ્ત કર્યા છતાં આર્કિટેક્ટ બની શક્યો નહીં, જેનો મને પસ્તાવો છે.