બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:08 PM, 10 October 2024
ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ રતન નવલ ટાટાને મુંબઈમાં રાજકીય સન્માનની સાથે ગુરૂવારે સાંજે અંતિમ વિદાય આપવામાં આવી. પદ્મ વિભૂષણ રતન ટાટાનું બુધવારે રાત્રે મુંબઈમાં નિધન થઈ ગયું હતું. ટાટાના વેપારને ઈમાનદારી અને નૈતિકતાની સાથે દેશ-વિદેશમાં ફેલાવનાર રતન ટાટાને લોકો તેમના સાદા જીવનના કારણે યાદ કરી રહ્યા છે.
ADVERTISEMENT
સામાન્ય લોકોના દિલમાં જે સન્માન રતન ટાટાએ મેળવ્યું છે ઉદ્યોગ જગતમાં આવી ઓળખ કોઈને મળી નથી. પોતાની શ્રદ્ધાંજલિમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના નેતૃત્વનો ઉલ્લેખ કરતા યાદ અપાવ્યું કે 1991માં રતન ટાટાએ કંપનીના ચેરમેન બન્યા બાદ ગ્રુપને 70 ઘણુ વધારે મોટુ કરી દીધુ.
ADVERTISEMENT
રતન ટાટા વિશે કેટલીક અજાણી વાતો
રતન ટાટા પોતાના ઘર પર લેન્ડલાઈન ફોન જાતે ઉપાડતા હતા. રતન ટાટાથી નાના વેપારી પણ પોતાના ઘરે ફોન ઉપાડવા માટે ઓફિસર રાખે છે. પરંતુ રતન ટાટાના ઘરના ઘરે જે ટેલીફોન નંબર સાર્વજનિક હતો તેના પર આવનાર દરેક કોલને તે પોતે જ ઉપાડતા હતા.
1991માં જ્યારે રતન ટાટાને પહેલી વખત ચેરમેન બનાવવામાં આવ્યા તો તેમના માટે મુંબઈનો એ બંગલો સજાવવામાં આવ્યો જેમાં તેમના પહેલા ટાટા સન્સના 53 વર્ષ ચેરમેન રહેલા ભારત રત્ન જેઆરડી ટાટા રહેતા હતા.
પરંતુ તેમણે ક્યારેય તે બંગલાને પોતાનું ઘર ન બનાવ્યું. કોલાબાના બે રૂમ વાળા ફ્લેટમાં જ રહ્યા. લગભગ પાંચ છ વર્ષ પહેલા રતન ટાટા વધતી ઉંમર અને જરૂરીયાતોના કારણે પોતાના બનાવેલા એક બંગલામાં શિફ્ટ થઈ ગયા હતા.
21 વર્ષ સુધી રહ્યા ચેરમેન
રતન ટાટા પહેલી વખત 21 વર્ષ ચેરમેન રહ્યા. જ્યા સુધી તે ચેરમેન રહ્યા જેઆરડી ટાટા વાળા બંગાલના બદલે કોલાબામાં બખ્તાવર એપાર્ટમેન્ટના પોતાના બે રૂમના સાધારણ ફ્લેટમાં રહ્યા. પહેલા ફ્લોર પર રતન ટાટાનું ઘર હતું અને બીજા ફ્લોર પર તેમની સાવકી માતા સિમોન ટાટાનું. ટાટા ગ્રુપના વારસદાર તરીકે જિન નોએલ ટાટાના નામની જ ચર્ચા થઈ રહી છે તે સિમોન અને નવલ ટાટાના દિકરા છે.
સાદુ જીવન
રતન ટાટાના કોલાબા વાળા ફ્લેટમાં જે સૌથી માંગી વસ્તુ હતી તે હતી બોસ કંપનીનું મ્યુઝિક સિસ્ટમ. તેના ઉપરાંત ઘરમાં બસ જરૂરીયાતની વસ્તુઓ હતી. દેખાડાનો કોઈ સામાન ન હતો. રતન ટાટા હવાઈ મુસાફરી દરમિયાન સામાન્ય લોકોની જેમ લાઈનમાં ઉભા રહેતા હતા. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પણ આ વાતના સાક્ષી રહ્યા છે.
જ્યારે તેમના આમંત્રણ પર રતન ટાટા એક હોસ્પિટલના ઉદ્ધાટન માટે ઔરંગાબાદ ગયા હતા. ઔરંગાબાદ એરપોર્ટ પર નિતિન ગડકરીએ રતન ટાટાનું સ્વાગત કરવા માટે લોકો ઉભા રાખ્યા હતા પરંતુ તેમણે પોતાની બેગ જાતે ઉપાડી. નિતિન ગડકરીને કહ્યું,- મારી બેગ હું જ ઉપાડીશ.
સામાન્ય લોકોની જેમ હવાઈ મુસાફરી
રતન ટાટા જ્યારે એર ઈન્ડિયાના ચેરમેન બનાવવામાં આવ્યા તો તેમને કંપની પ્રમુખ હોવાના કારણે પોતાની કાર પ્લેન સુધી લઈ જવાની પરવાનગી હતી. પરંતુ રતન ટાટા સામાન્ય લોકોની જેમ જ હવાઈ સફર કરતા હતા. કંપનીના બીજા ડાયરેક્ટર આ સુવિધાનો નિયમિત ઉપયોગ કરતા હતા. જેના પર તેમને આશ્ચર્ય પણ થતું હતું.
લોકલ દરજી પાસે સીવડાવતા હતા સૂટ
રતન ટાટા હંમેશા સાફ-સ્વચ્છ અને સારા કપડાં પહેરતા હતા. પરંતુ આ કપડા વિદેશથી ન હતા આવતા. જ્યારે તેમને એક ઈન્ટરવ્યૂમાં પુછવામાં આવ્યું હતું કે તે પોતાના સૂટ ક્યાંથી સિવડાવે છે તો રતન ટાટાએ જણાવ્યું કે તે કોલાબાના જ એક લોકલ દરજી પાસે સૂટ સિવડાવે છે. આ સાંભળીને રિપોર્ટર આશ્ચર્ય ચકિત થઈ ગયો.
પોતાની જ હોટલમાં આપતા હતા બીલ
રતન ટાટા એક વખત મુંબઈની તાજ હોટલમાં અમુક લોકો સાથે ડિનર કરી રહ્યા હતા. ડિનર બાદ વેટરે રતન ટાટાને બિલ આપ્યું. રતન ટાટાએ કાર્ડથી પેમેન્ટ કરી દીધુ. તેમની સાથે આવેલા મહેમાન ચોંકી ઉઠ્યા.
તેમણે રતન ટાટાને પુછ્યું કે પોતાની જ હોટલમાં તમને બિલ કેવી રીતે આપી દેવામાં આવ્યું. રતન ટાટાએ તેના પર કહ્યું કે કોર્પોરેટમાં પેરામિટર કેવી રીતે સ્થાપિત થશે? તમને પોતે ઉદાહરણ બનીને આ કાયમ કરવું પડશે.
કાર પોતે ચલાવીને ઘરે જતા
જ્યારે રતન ટાટા ડિનર કરવા માટે કોઈ રેસ્ટોરન્ટમાં જતા તો થોડા સમય બાદ તેમના ડ્રાવર આવીને તેમને ચાવી આપીને જતા. જેનું કારણ પુછવા પર રતન ટાટાએ જણાવ્યું કે તે નથી ઈચ્છતા કે તેમનો ડ્રાઈવર નક્કી કરેલા સમયથી વધારે ડ્યૂટી પર રહે. ડ્રાઈવરનો પરિવાર છે અને તેને સમય પર પોતાના પરિવાર અને બાળકોની સાથે હોવું જોઈએ. ડિનર બાદ મોટાભાગે તે કાર પોતે ચલાવીને ઘરે જતા હતા.
રતન ટાટાની પોતે કાર ચલાવવાની સ્ટોરી નિતિન ગડકરીએ પણ જણાવી હતી. ગડકરીએ જણાવ્યું કે એક વખત રતન ટાટા તેમના ઘરે આવવાના હતા. તેમણે રતન ટાટાનો ફોન આવ્યો અને તે રસ્તો પુછવા લાગ્યા. જ્યારે નિતિન ગડકરીએ ડ્રાઈવર અને સુરક્ષા વિશે પુછ્યું તો રતન ટાટાએ જણાવ્યું કે તે એકલા છે અને પોતે જ ગાડી ચલાવીને આવી રહ્યા છે.
રતન ટાટાની સાદગીની એક સ્ટોરી ઉત્તર પ્રદેશના મંત્રી અને પૂર્વ આઈપીએસ ઓફિસર અસીમ અરૂણે પણ શેર કરી છે. અસીમ અરૂણ ત્યારે પ્રધાનમંત્રી અને તેમના પરિવારની સુરક્ષા માટે બનાવવામાં આવેલી ફોર્સ સ્પેશલ પ્રોટેક્શન ગ્રુપમાં તૈનાત હતા. એસપીજીના એક કાર્યક્રમમાં રતન ટાટાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અસીમ તેમને રિસીવ કરવા તાજ માન સિંહ હોટલ ગયા અને જોયું તો રતન ટાટા કોઈ સુઈટ નહીં પરંતુ એક સામાન્ય રૂમમાં રોકાયા હતા.
રતન ટાટા કાર અને ડ્રાઈવરની સાથે નિકળ્યા. અસીમ અરૂણને પણ પોતાની કારમાં બેસાડ્યા. અસીમે પહેલા જ એસપીજીની એક પાયલટ કરા તેમની આગળ ચલાવવા માટે લગાવી રાખી હતી. રતન ટાટાએ જ્યારે આ નોટિસ કર્યું તો તેમણે અસીમને કહ્યું કે તેને આગળથી હટાવી લો. જ્યાં સુધી કાર આગળથી જતી ન રહી. રતન ટાટા બેચેન રહ્યા. અસીમ અરૂણે તેમને ત્યારે પુછ્યું હતું કે તમારી સાથે કોઈ સુરક્ષા કેમ નથી તો રતન ટાટાએ કહ્યું કે તેમને કોનાથી ખતરો હોઈ શકે છે?
રતન ટાટાએ કંપની માટે એક આચાર સંહિતા બનાવી અને પોતે આગળ વધીને તેનું પાલન કર્યું. ટાટા ગ્રુપ ફરીથી એરલાઈન બિઝનેસમાં આવવા માંગતી હતી અને પરંતુ કંપનીના લાયસન્સની અરજી અટકી હતી ત્યારે એક વ્યક્તિએ કહ્યું કે કોઈ આદમીને પૈસા આપવાતી કામ થઈ જશે. ત્યારે રતન ટાટાએ લાંચ આપવાનો ઈનકાર કરી દીધો.
વધુ વાંચો: ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવવાનું કારણ શું? અતિશય ઉછળકૂદ કારણ, એક એક વસ્તુ સમજો
રતન ટાટાએ કંપનીની આચાર સંહિતાના ઉલ્લંઘનમાં ફસેલા પોતાના ભરોસાપાત્ર લોકોને પણ કોઈ છુટ ન આપી. જ્યારે તેમના પ્રિય નાણાકીય સલાહકાર અને ટાટા ફાઈન્નાસના પ્રમુખ દિલીપ પેન્ડસે વિશે જાણવા મળ્યું કે કંપનીને જણાવ્યા વગર તેમણે એક કંપનીમાં ભારે રોકાણ કર્યું છે તો તેમનું આવી બન્યું હતું. રતન ટાટાએ સુનિશ્ચિત કર્યું કે દિલીપ બોર્ડમાંથી નિકાળવામાં આવે અને તેમના પર અપરાધિક કેસ દાખલ કરવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.