જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા સંસના પૂર્વ ચેરમેન રતન ટાટાએ આજરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવતની નાગપુરના સંઘ કાર્યાલય ખાતે મુલાકાત લેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.
દિલ્હી: જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા સંસના પૂર્વ ચેરમેન રતન ટાટાએ આજરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવતની નાગપુરના સંઘ કાર્યાલય ખાતે મુલાકાત લેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ રતન ટાટા અને ભાગવત વચ્ચે લગભગ 2 કલાક વાતચીત ચાલી હતી. આ ઘટના બીજી વખત બનવા પામી હતી કે, રતન ટાટા સરસંઘચાલકને મળ્યા હોય.
ઉલ્લેખનીય છે કે, આ મુલાકાત ગત 17 એપ્રીલના રોજ યોજાઇ હતી. જો કે, આ મામલે પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ મુલાકાત ઔપચારીક હતી. બંન્ને મહાનુભાવો વચ્ચે મુલાકાત આશરે 2 કલાક ચાલી હતી. આપને જણાવી દઇએ કે, રતન ટાટાએ આ પહેલા ડિસેમ્બર 2018માં સંઘ સુપ્રીમોની મુલાકાત લીધી હતી.
ઓગસ્ટમાં RSS નેતા નાના પાલકરની 100મી વર્ષગાંઠની ઉજવણી પર રતન ટાટા અને સંઘ પ્રમુખ મોહન ભાગવત એક મંચ પર જોવા મળ્યા હતા. તે સમયે મોહન ભાગવતે રતન ટાટાના ખુબ જ વખાણ કર્યા હતા.