ગાયને લઈને અનેક પ્રકારના દાવા કરાયા છે. તેમાં કેટલાકને લઈને વિવાદ પણ થઈ ચૂક્યો છે. હવે રાષ્ટ્રિય કામધેનુ આયોગના ચેરમેન વલ્લભભાઈ કથીરિયાએ ગાયના ગોબરને લઈને એક અલગ દાવો કર્યો છે જેની પર વિવાદ થઈ શકે છે. વલ્લભભાઈ કથીરિયાની માનીએ તો ગાયનું ગોબર રેડિએશન રોકી શકે છે, તેનો ઉપયોગ મોબાઈલમાં થવો જોઈએ.
રાષ્ટ્રિય કામધેનુ આયોગના ચેરમેનનું મોટું નિવેદન
ગાયનું ગોબર રેડિએશન રોકી શકે છે
મોબાઈલમાં તેનો ઉપયોગ થવો જોઈએઃ કથીરિયા
રાષ્ટ્રિય કામધેનુ આયોગના ચેરમેન વલ્લભભાઈ કથીરિયાએ સોમવારે કામધેનુ દિપાવલી અભિયાનના રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં ગાયના ગોબરથી બનેલી એક ચિપનું ઉદ્ધાટન કર્યું. આ સમયે તેઓએ દાવો કર્યો કે આ ચિપ મોબાઈલ હેન્ડસેટથી નીકળનારા રેડિએશનને રોકવામાં મદદ કરશે. આ રેડિએશનને ઘટાડવામાં તેનો ઉપયોગ કરવો.
રાજકોટની ગૌશાળામાં તૈયાર થઈ છે આ ચિપ
વલ્લભભાઈ કથીરિયાએ કહ્યું કે ગાયના ગોબરથી બનેલી આ ચિપને મોબાઈલમાં રાખીએ તો રેડિએશનને ઘટાડવામાં મદદ મળશે. જો તમે બીમારીઓથી બચવા ઈચ્છો છો તો તેનો ઉફયોગ કરી શકો છો. આ ચિપને ગૌસત્વ કવચ નામ અપાયું છે. ગૌસત્વ કવચને ગુજરાતના રાજકોટ સ્થિત શ્રીજી ગૌશાળાએ બનાવ્યું છે.
વલ્લભભાઈ કથીરિયાએ કહ્યું કે ગાયનું ગોબર પણ દરેકની રક્ષા કરશે. આ એન્ટી રેડિએશન છે. વૈજ્ઞાનિક રીતે તે સિદ્ધ છે. આ એક વિકિરણ ચિપ છે. તેનો ઉપયોગ વિકિરણને ઓછા કરવા માટે મોબાઈલમાં કરી શકાય છે. તેનાથી તમે બીમારીઓથી પણ સુરક્ષિત રહેશો. મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયમાં આવનારા રાષ્ટ્રિય કામધેનુ આયોગની સ્થાપના કેન્દ્રએ ફેબ્રુઆરી 2019માં કરી હતી. તેનો હેતુ ગાયોનું સંરક્ષણ અને વિકાસ છે.