તુલા રાશિના લોકોને આર્થિક બાબતે સમસ્યાઓ નડશે. આ રાશિના લોકોએ સંબંધોમાં વિશ્વાસઘાત અને છેતરામણીથી બચીને રહેવું.
આજનું પંચાંગ
24 04 2022 રવિવાર
માસ ચૈત્ર
પક્ષ કૃષ્ણ
તિથિ નોમ
નક્ષત્ર શ્રાવણ (સાંજે 05.51 પછી ઘનિષ્ઠા)
યોગ શુભ
કરણ તૈતુલ (બપોરે 03.37 પછી ગરજ)
રાશિ મકર
---------------------- દેવ-દર્શન :- વાઘેશ્વરી માતાજી મંદિર, જૂનાગઢ
જૂનાગઢ ખાતે ડુંગરની ગોદમાં બિરાજે છે માઁ વાઘેશ્વરી. જીલ્લાના પ્રાચીન માતાજીના મંદિરો પૈકીનું આ એક મંદિર છે. જ્યાં શારદીય નવરાત્રીમાં માઁ વાઘેશ્વરીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે.
માઁ વાઘેશ્વરીનું મંદિર પ્રાચીન મંદિર છે, હાલનું મંદિર પણ અંદાજે 750 વર્ષ જુનું છે, જેનો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ છે અને તેનો ત્રણ વખત જીર્ણોધ્ધાર પણ થઈ ચુક્યો છે, મંદિરમાં માતાજીના આભૂષણો પણ નવાબીકાળના છે, હાલ જે માતાજીને હાર ધરાવવામાં આવે છે તે જૂનાગઢના નવાબે અહીં પધરાવ્યો હતો. એક પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુના વામન અવતારમાં તેઓ ભગવાન વામન રૂપે આ સ્થળે આવ્યા હતા અને અહીંથી જ વામનસ્થલી કે જે આજનું વંથલી છે ત્યાં ગયા હતા અને બલી રાજાના યજ્ઞમાં ત્રણ ડગલાં ભૂમિ માંગી હતી. હાલનું જે પ્રાચીન મંદિર છે તે ઉપરાંત ડુંગરમાં ઉપલા વાઘેશ્વરીનું મંદિર પણ આવેલું છે જે પગથીયાં ચડીને ડુંગરની વચ્ચે આવેલું છે ત્યાં પણ ભાવિકો નવરાત્રી દરમિયાન માતાના દર્શને જાય છે. નવરાત્રી દરમિયાન માઁ વાઘેશ્વરીના મંદિરમાં ત્રણ વખત આરતી થાય છે તેમાં પણ સાયં આરતી સમયે મોટી સંખ્યામાં ભાવિકો આરતીમાં જોડાય છે, આરતી સમયે પણ મંદિરમાં પ્રવેશ નિષેધ છે, ભાવિકો મંદિરના પટાંગણમાંથી જ આરતીના દર્શન કરે છે
શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.06 થી 1.49 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4.31 થી 5.52 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)
--------------------------------------- મેષ (અ.લ.ઈ.)
નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે
શેર-સટ્ટાથી દૂર રહેવું-નુકસાન કરાવશે
ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું
કૌટુંબિક પ્રશ્નોમાં સારું સમાધાન મળશે
વૃષભ (બ.વ.ઉ.)
દામ્પત્ય જીવનમાં અણબનાવો દૂર થશે
મકાન વાહન ખરીદવાનો અવસર મળશે
તબિયતની બાબતમાં કાળજી રાખવી
વિદ્યા માટે બહાર જવાનું આયોજન કરી શકો