વિરાટ કોહલી પોતાના નબળા ફોર્મને કારણે સતત ટીકાનો શિકાર થઇ રહ્યાં છે. હવે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને વિરાટ કોહલીને ટીમમાંથી ડ્રોપ કરવાના સવાલ પર મોટુ નિવેદન આપ્યું છે.
વિરાટ કોહલી લાંબા સમયથી નબળા ફોર્મનો કરી રહ્યાં છે સામનો
હવે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને વિરાટ કોહલી પર આપ્યું મોટુ નિવેદન
ભારતીય ટીમમાં કોઈ પસંદગીકાર વિરાટ કોહલીને ડ્રોપ નહીં કરી શકે
પૂર્વ પાકિસ્તાની કેપ્ટન રાશિદ લતીફે કોહલી પર આપ્યું નિવેદન
હવે પૂર્વ પાકિસ્તાની કેપ્ટન રાશિદ લતીફે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય ટીમમાં કોઈ એવો પસંદગીકાર એવો પેદા થયો નથી, જે વિરાટ કોહલીને ડ્રોપ કરી શકે. રાશિદ લતીફે પોતાની યુ-ટ્યુબ ચેનલ પર કહ્યું કે વિરાટ કોહલીના નબળા ફોર્મને લઇને ખૂબ ચર્ચા થઇ રહી છે, પરંતુ આ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટ સાથે થોડો સમય દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે તેમણે ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસથી આરામ માંગ્યો હતો. હવે ભારતીય પસંદગીકારોએ વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે વિરાટ કોહલીને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે તેમણે કહ્યું કે આ વાતની પૂરેપૂરી શક્યતા છે કે વિરાટ કોહલી એશિયા કપમાં રમશે.
વિરાટ કોહલી છે મૌન
ઉલ્લેખનીય છે કે અંદાજે છેલ્લાં 3 વર્ષથી વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યા નથી. તો ઈંગ્લેન્ડના પ્રવાસે પણ વિરાટ કોહલીનો ફ્લોપ શો યથાવત છે. એજબેસ્ટન ટેસ્ટ સિવાય ટી-20 અને વન-ડે સીરીઝમાં પણ વિરાટ કોહલી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. હવે જોવુ રસપ્રદ રહેશે કે વેસ્ટ ઈન્ડીઝ સામેની સીરીઝ બાદ જ્યારે તેઓ વાપસી કરશે ત્યારે તેઓ પોતાના જૂના અંદાજમાં ક્યા સુધી વાપસી કરે છે.