દિવાળીમાં ખરીદી કરવાની પરંપરા જૂની છે. ધનતેરસમાં ખરીદી કરવાનું વિચારી રહ્યાં હોવ તો 60 વર્ષ પછી આ દુર્લભ સંયોગ બની રહ્યો છે.
60 વર્ષ બાદ યોજાશે સર્વાર્થસિદ્ધિ યોગ
આ યોગમાં ખરીદી કરવાથી થશે લાભ
દિવાળી પહેલા જ માલામાલ થવાની તક
60 વર્ષ બાદ દુર્લભ સંયોગ
દિવાળીની ખરીદી માટે બજારો ઘણા દિવસો અગાઉથી તૈયાર થઈ જાય છે, જેથી લોકો તેમની પસંદગીની ઘણી વસ્તુઓ ખરીદી શકે પરંતુ આ વર્ષે લોકોને દિવાળી પહેલા આ તક મળવાની છે. 60 વર્ષ બાદ શનિ-ગુરુના સંયોગમાં ગુરુ પુષ્ય નક્ષત્રની રચના થઈ રહી છે, જે ખૂબ જ શુભ છે.
28 ઓક્ટોબરે બેહદ શુભ સંયોગ
28 ઓક્ટોબર, મકર રાશિમાં શનિ-ગુરુના જોડાણને કારણે પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ રહેશે. આ સિવાય, સર્વાર્થસિદ્ધિ યોગ પણ તે જ દિવસે સવારે 6:33 થી 9:42 સુધી રહેશે.
ખરીદી કરવાથી થશે લાભ
જ્યોતિષના જણાવ્યા અનુસાર ગુરુ પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલી ખરીદી ખાસ હોય છે. તે દિવસે મકર રાશિમાં શનિ-ગુરુની યુતિ દરમિયાન ગુરુ પુષ્ય નક્ષત્ર હોવાથી શુભ ફળ મળશે.
આ ચીજો ખરીદવી શુભ
આ શુભ સંયોગમાં ઘર-સંપત્તિ, સોનુ-ચાંદી, ગાડી, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, ફર્નીચર વગેરે ખરીદી શકો છો. તે સિવાય ચોપડા પુજન માટે પણ આ શુભ દિવસ છે.
ઇનવેસ્ટ કરવું પણ લાભદાયી
ખરીદી સિવાય ઇનવેસ્ટમેન્ટ માટે પણ આ સર્વશ્રેષ્ઠ દિવસ સાબિત થશે. શૅરમાર્કેટમાં લોખંડ, ઓઇલ કંપની, સિમેન્ટ વેગેર કંપનીઓ તમને લાભ કરાવશે.