રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના વતનની મુલાકાતે પહોંચ્યાં છે. યુપીના કાનપુર જિલ્લાનું પરોખ તેમનું મૂળ ગામ છે. ગામની જમીન પર પગ મૂકતા જ તેઓ ભાવુક થયા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના વતનની મુલાકાતે પહોંચ્યાં
યુપીના કાનપુર જિલ્લાનું પરોખ તેમનું મૂળ ગામ
ગામમાં પગ મૂકતા જ ધુળ માથે ચડાવી
રાષ્ટ્રપતિ કોવિંદ રવિવારે તેમના ગામ પરોખ પહોંચ્યાં હતા. હેલિપેડ પર ઉતર્યાં બાદ તેમણે સૌથી પહેલા વતનની ધૂળ માથે ચડાવી આ દરમિયાન ત્યાં હાજર રહેલા સીએમ યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા તેમના સુરક્ષાકર્મીઓ ભાવુક થયા હતા. ખુદ રાષ્ટ્રપતિ કોવિંદ પણ વતનની જમીન પર પગ મૂકતા ભાવુક થયા હતા.
આ ગામમાં સન 1 ઓક્ટોબર 1945 ના રોજ રામનાથ કોવિંદનો જન્મ થયો હતો.
પોતાના ગામની મુલાકાતે પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ કોવિંદે ટ્વિટ કરીને જણાવ્યું હું ક્યાંય પણ રહું, મારા ગામની માટીની ખુશબુ અને મારા ગામના રહેવાશીઓની યાદે હમેંશા મારા હૃદયમાં સચવાયેલી રહેશે. મારે માટે પરોખ ફક્ત ગામ નથી, આ મારી માતૃભૂમિ છે જ્યાંથી મને, આગળ વધવાની તથા દેશસેવા કરવાની પ્રેરણા મળતી રહી.
કોવિંદે આગળ લખ્યું કે માતૃભૂમિની આ પ્રેરણાએ મને હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ, સુપ્રીમ કોર્ટથી રાજ્યસભા, રાજ્યસભામાંથી રાજભવન તથા રાજભવનની રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચવાની તક મળી. મેં તો સપને પણ વિચાર્યું નહોતું કે મારા જેવા એક વ્યક્તિને દેશના સર્વોચ્ચ હોદ્દા પર બિરાજવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. પરંતુ આપણી લોકશાહીય વ્યવસ્થાએ આ સાર્થક કરી દેખાડ્યું છે.