આ વખતે 31 માર્ચે હનુમાન જયંતિ પર 9 વર્ષ બાદ આવો સંયોગ બની રહ્યો છે. સંકટમોચનને ખુશ કરવા માટે આ શુભ મૂહુર્તમાં આવી રીતે પૂજા કરો.
સામાન્ય રીતે હનુમાન જયંતિ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે ઊજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે 9 વર્ષ બાદ માર્ચમાં આવી રહી છે. એટલા માટે શૂભ મૂહુર્તમાં પૂજા કરશો તો સારો પ્રભાવ પડશે અને બધા દુખ દૂર થશે.
આ વખતે પૂર્ણિમાં તિથિ 30 માર્ચ સાંજે 7 વાગીને 35 મિનીટથી 31 માર્ચ સાંજે 6 વાગ્યેને 6 મિનીટ સુધી રહેશે. એટલા માટે આ સમયમાં પૂજા કરો અને હનુમાનજીની આગળ દીવો પ્રગટાવો.
સૌથી પહેલા પૂર્વ અથવા ઉત્તરની તરફ મોંઢુ કરીને લાલ આસાન પર બેસી જાવ. ચોખ્ખા કપડાં પહેરીને પૂજા કરો.
હનુમાનજીનું અલગ સ્થાન લગાવો. એની પર લાલ કપડું પછરીને તાંબાની પ્લેટ પર લાલ ફૂલોનું આસાન આપીને હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરો. મૂર્તિ પર સિંદૂરથી ટીકો કરો અને લાલ ફૂલ અર્પણ કરો.
સરસવના તેલવો દીવો સળગાવો અને ધૂપ દીવો અને ચોખા અર્પિત કરો. સાથે બૂંદીનો પ્રસાદ ચઢાવો. આ પ્રસાદને બધાને વહેંચી દો.