શિયાળાની ઋતુના આગમન સાથે સુરતમાં નવેમ્બરથી જાન્યુઆરી મહિના દરમિયાન વિદેશી પક્ષીઓનું આગમન થાય છે
વિદેશી પક્ષીઓનો સુરતમાં જમાવડો
બ્રાઉન હેડેડ ગુલ પક્ષીઓ આવ્યા સુરત
પક્ષીઓ સુરતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
શિયાળાની ઋતુના આગમન સાથે સુરતમાં નવેમ્બરથી જાન્યુઆરી મહિના દરમિયાન વિદેશી પક્ષીઓનું આગમન થાય છે. સાઇબિરિયા, રશિયા અને અન્ય ઠંડા પ્રદેશોમાં પક્ષીઓ ખોરાકની શોધમાં સુરત આવે છે. સુરત આવેલા તમામ પક્ષીઓ સવારે તાપી નદીના કિનારે આવે છે. આ પક્ષીઓ બ્રાઉન હેડેડ ગુલ તરીકે ઓળખાય છે. આ પક્ષીઓ આજકાલ શહેરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આ પક્ષીઓ નીડર હોય છે તેમની નજીક જતાં તેઓ ડરતા નથી. યાયાવર પક્ષીઓની સંસ્થા પ્રયાસની ટીમે પક્ષીઓને લઇ વધુ જાણકારી આપી હતી.
વિદેશી પક્ષીઓનો સુરતમાં જમાવડો
શિયાળો જામતા જ ગુજરાતીમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. સુરતના તાપી નદીના કિનારે સહેલગાહે પક્ષીઓ આવી રહ્યા છે. તાપી નદી કિનારે ફ્લેમિંગો નામના પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. વિદેશી પક્ષીઓ આવતા સુરતવાસીઓ પણ મોટી સંખ્યામાં તેમને જોવા નદી કિનારે ઉમટી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે ફ્લેમિંગો પક્ષી પાણી જોઈને ગમે ત્યાં ઉતરી પડતા નથી. પાણીનું લેવલ, સુરક્ષાની ખાતરી થતાં તેઓ આવા સ્થળોએ ઉતરાણ કરે છે અને અનોખી રીતે ઉડવાની અને જીવનનો આનંદ માણે છે.
"Many such birds migrate to Surat during this time. Brown-headed gulls also migrate to this city. The birds migrate back to other places in the months of March and April," a bird watcher, Dr Nilay Desai said. pic.twitter.com/34notn0Zhy
યૂરોપ, સાઈબીરીયા, ચીન અને હિમાલયની તળેટી જેવા ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનુ અંતર કાપીને આવતા પક્ષીઓની ગુજરાત અને રાજસ્થાન જેવા પ્રદેશોના આવતાં હોય છે અને આ યાયાવર પક્ષીઓ પાસે ગજબની દિશાસૂઝ હોય છે. તેમના રહેણાંક પ્રદેશમાં શિયાળાની ઋતુમાં થતી હિમવર્ષાના કારણે તેઓને ભોજન મેળવવા માટે તથા પ્રજનન કરવા માટે હજારો માઈલનુ અંતર કાપવુ પડે છે. દરવર્ષની તેમની આ ક્રિયા સહજ જણાય છે. પરંતુ તે વૈજ્ઞાનિકો માટે સંશોધનની વિષય બની ગયો હતો.
પક્ષીઓ સુરતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
યૂરોપ અને સાઈબિરીયા જેવા ઠંડા પ્રદેશમાંથી ઉડીને ગુજરાત સુધી પહોંચી જતાં આ પક્ષીઓ ઉનાળો આવતાં જ પોતાના પ્રદેશમાં પરત ચાલ્યા જાય છે. આ પક્ષીઓને સાત સમુંદર પાર કરવા માટે દિશા કેવી રીતે મળતી હશે, તે સંશોધનનો વિષય છે. પરંતુ જાણકારોનુ માનવુ છે કે, કદાચ તેઓ મેગ્નેટીક ફિલ્ડ અથવા નેવિગેશન ફિલ્ડના લીધે દિશાસૂઝ મેળવવામાં સક્ષમ છે. જોકે, કારણ કોઈ પણ હોય યાયાવર પક્ષીઓમાં દિશા ઓળખવાની કુદરતી શક્તિ રહેલી છે અને તેથી જ તેઓ દરવર્ષે એક દેશમાંથી બીજા દેશમાં ઉડાન ભરવા માટે સક્ષમ છે.