પાકિસ્તાનમાં બળાત્કારિઓને સજા આપવા માટે ઇમરાન ખાન સરકારે એક નવો કાયદો લાવવાની તૈયારીમાં છે. આ કાયદા હેઠળ બળાત્કારીઓને ઇન્જેક્શન આપીને નપુંસક બનાવી દેવામાં આવશે.
ઇમરાન ખાન સરકારનો નવો નિર્ણય
બળાત્કારીઓને અપાશે કઠોર સજા
રૅપિસ્ટને કરી દેવામાં આવશે નપુંસક
શું કરાશે સજા?
મેડિકલ સાયન્સમાં આ પ્રક્રિયાને કેમિકલ કાસ્ટ્રેશન કહેવામાં આવે છે. મંગળવારે વડાપ્રધાન ઇમરાન ખાને આ કાયદાને અમલમાં લાવવાની મંજૂરી આપી દીધી છે. આ સિવાય યૌન શોષણના કેસમાં પણ જલ્દી જ નિર્ણય આવશે.
પાકિસ્તાનની એક ચૅનલ અનુસાર કેબિનેટ બેઠકમાં પાકિસ્તાનના કાયદા મંત્રાલયે આ કાયદાને વડાપ્રધાન સામે મૂકવામાં આવ્યો હતો. બાદમાં દરેક બાબત પર ચર્ચા કરવામાં આવી હતી.
ક્યા પગલા લેવામાં આવશે?
આ કાયદાની હાલ કોઇ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર રેપની ઘટના બાદ પાકિસ્તાન પોતાની પોલીસ સિસ્ટમમાં બદલાવ કરવાનું વિચારી રહ્યું છે. તે અનુસાર પોલીસ ફોર્સમાં મહિલાઓની સંખ્યા વધારવામાં આવશે અને બળાત્કારના કેસનો નિર્ણય જલ્દીથી જલ્દી કરવામાં આવશે.
ઇમરાન ખાને શું કહ્યું
ઇમરાન ખાને કહ્યું છે કે, આ એક ગંભીર મામલો છે અને આ પ્રકારના કેસમાં વધુ સમય ન લેવામાં આવે. આ મુદ્દે કાયદો સ્પષ્ટ અને ટ્રાન્સપરન્ટ હશે જેમાં કડક દંડ વ્યવસ્થા હશે.
શું છે કેમિકલ કાસ્ટ્રેશન
કેમિકલ કાસ્ટ્રેશન એક મેડિકલ પ્રક્રિયા છે. જેમાં એવું ઇન્જેક્શન આપવામાં આવે છે જેનાથી તેની યૌન ક્ષમતા ખત્મ થઇ જાય છે અને આ ઇન્જેક્શન માણસના હોર્મોન પર અસર કરે છે.
જાવેદ ખાને કહ્યું કે, આ નવો કાયદો જલ્દી જ પાકિસ્તાની સંસદમાં લાવવામાં આવશે. મહત્વનું છે કે, 2018માં લાહૌરમાં સાત વર્ષની એક બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો અને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. જે બાદ જ બળાત્કારીઓને સખ્ત સજા આપવાની માગ ઉઠી રહી છે.