ભાજપના ઉત્તરપ્રદેશના MLA સુરેન્દ્ર સિંહે શનિવારે કહ્યું હતું કે બળાત્કારની ઘટનાઓ ત્યારે જ બંધ થશે જ્યારે માતાપિતા તેમની દીકરીઓને કેવી રીતે સારું વર્તન કરવું તેમ શીખવશે.
બલિયાના MLAને હાથરસ દુષ્કર્મ ઘટના મુદ્દે પ્રતિક્રિયા આપવા કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે આવી ઘટનાઓ ફક્ત સંસ્કારોથી જ રોકી શકાય છે. શાસન અને તલવારથી નહીં. બધા માતાપિતાની ફરજ છે કે તેઓ પોતાની યુવાન દીકરીઓને એક સંસ્કારી વાતાવરણમાં રાખે અને તેમને શાલીન રીતે વ્યવહાર કરવાનું શીખવે.
જેમ સરકારનો ધર્મ છે રક્ષણ આપવું તેમ પરિવારનો ધર્મ છે પોતાના સંતાનોમાં સારા મૂલ્યોનું સિંચન કરવું. સરકાર અને સારા મૂલ્યોના સંગમથી જ દેશને મહાન બનાવી શકાય છે.
#WATCH Incidents like these can be stopped with help of good values, na shashan se na talwar se. All parents should teach their daughters good values. It's only the combination of govt & good values that can make country beautiful: Surendra Singh, BJP MLA from Ballia. #Hathraspic.twitter.com/47AmnGByA3
19 વર્ષીય હાથરસની પીડિતાએ ગેંગરેપ પછી પોતાનો જીવ ગુમાવ્યો છે અને સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. એવા સમયે આ નેતા આ ઘટનાને વખોડીને આરોપીઓને સખત સજા થાય, સરકાર વધુ સતર્ક બને તેવો મત રાખવાને બદલે આવી ઘટના પાછળ સ્ત્રીનો પોતાનો કેવી રીતે વાંક છે એવા નિવેદન આપી રહ્યા છે.