હાથરસ ગેંગરેપને લઇને દેશભરમાં જ્યાં લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે 14 સપ્ટેમ્બરે ગેંગરેપનો શિકાર બનેલી 20 વર્ષની પીડિતાનું મંગળવારે દિલ્હી ખાતે હોસ્પિટલમાં નિધન થયું હતું. આ મામલામાં પીડિત પરિવારે ઉત્તર પ્રદેશ પોલીસ તરફથી નિષ્ક્રિયતા દાખવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ હવે યુપી પોલીસે પર અસંવેદનશીલતાની હદ પાર કરવાનો આરોપ લગાવામાં આવ્યો છે. જેને લઇને લોકોમાં સૌથી વધારે આક્રોશ જોવા મળ્યો છે અને કેટલાંક નેતાઓ પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે.
એક પ્રાપ્ત મળતી જાણકારી મુજબ પોલીસે અડધી રાત્રે પરિવારની હાજરી તેમજ મંજૂરી વગર પીડિતાના અંતિમ સંસ્કાર કરી દીધા. પોલીસ પર આરોપ છે કે મંગળવાની રાત્રે અંધારામાં અંદાજે 2.30 વાગે અંતિમ સંસ્કાર કરી દીધા અને આ દરમિયાન પરિવારને રૂમમાં બંધ કરી દીધા હતા. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં વિચલિત કરનારા દ્રશ્ય છે.
हाथरस की पीडिता का पहले कुछ वहशियों ने बलात्कार किया और कल पूरे सिस्टम ने बलात्कार किया। पूरा प्रकरण बेहद पीड़ादायी है।
જો હાથરસ ગેંગરેપની આ ઘટના પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતા લખ્યું, 'હાથરસની પીડિતા સાથે પહેલા કેટલા બર્બરોએ દૂષ્કર્મ કર્યું અને પૂરી સિસ્ટમે બળાત્કાર કર્યો, પૂરી ઘટના ઘણી પીડાદાયક છે.'
દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ આ ઘટનાને લઇને ટ્વિટ કર્યું છે. સિસોદિયાએ પોલીસની આ કામગીરીને બળાત્કારી માનસિકતાનું પ્રતિક બતાવ્યું છે. ઉત્તર પ્રદેશમાં કાલે રાત્રે પોલીસે જે રીતે પીડિતોનો અંતિમ સંસ્કાર કર્યો તે પણ એક બળાત્કારી માનસિકતાનું પ્રતિક છે. સત્તા, જાતિ અને વર્દીના અહંકારમાં આગળ ઇન્સાનિયત શર્મનાર થઇ રહી છે.