પોલીસ પર કોઈ પગલા ન ભરાયાનો આરોપ લગાવી ઉન્નાવ SP ઓફિસની બહાર આત્મ વિલોપન કરનારી રેપ પીડિતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પીડિતાએ 16 ડિસેમ્બરે SP ઓફિસ સામે પોતાને આગ લગાવી દીધી હતી.
આત્મ વિલોપન કરનારી રેપ પીડિતાનું મોત
16 ડિસેમ્બરે SP ઓફિસ સામે આત્મ વિલોપન કર્યુ હતું
પોલીસે તેની ફરિયાદમાં યોગ્ય કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ
ફરિયાદ સામે પોલીસે કોઈ પગલા ભર્યા નથી
ઉન્નાવના પોલીસ અધિક્ષક(SP)ની ઓફિસ બહાર પોતાને આગ લગાવનારી રેપ પીડિતાને કાનપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. યુવતી (23)એ આરોપ લગાવ્યો હતો કે બળાત્કારનાં આરોપી અવધેશ સિંહની વિરુદ્ધ કરેલી તેની ફરિયાદ સામે પોલીસે કોઈ પગલા ભર્યા નથી.
પોલીસે આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી દીધી હતી.
આત્મવિલોપન કરનારી યુવતીનો દાવો છે કે આરોપીએ તેની સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ પછીથી તેણે અપનાવવાની ના પાડી દીધી હતી. એ બાદ તેણે અવધેશ સિંહ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ પછીથી તેણે કોર્ટમાં તેને આગોતરા જામીન મળી ગયા હતાં. પોલીસે આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી દીધી હતી.
શનિવારે પીડિતા સવારે તે વેન્ટિલેટર પર હતી
યુવતી 80 ટકાથી વધારે દાઝી ગઈ હતી અને 16 ડિસેમ્બરે તેને કાનપુર ખાતે આવેલા લાલા લાજપત રાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડૉક્ટરોએ કહ્યું કે મહિલાનાં પેટ અને શ્વાસ તંત્રમાં સોઝો આવ્યો હતો. તેમજ તે શનિવારે સવાર સુધી વેન્ટિલેટર પર હતી. ઉલ્લેખનીય છે કે મહિલાએ 16 ડિસેમ્બરનાં રોજ ઉન્નાવ SP ઓફિસે જઈને પોતાની જાતને કેરોસિન છાંટી આગ લગાવી દીધી હતી. આગમાં લપેટાયેલી પીડિતા ઓફિસમાં ઘૂસી ગઈ હતી.
જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી
SP ઓફિસમાં હાજર પોલીસકર્મીઓએ તાત્કાલીક આગ ઓલવી તેને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાંથી તેને લાલા લાજપત રાય હોસ્પિટલમાં ટ્રાન્ફર કરવામાં આવી હતી. ઉન્નાવનાં પોલીસ અઘિક્ષક વિક્રાંત વીરનાં જણાવ્યાનું સાર, મહિલાના અવધેશ સાથે કેટલાય સમયથી પ્રેમ સંબંઘ હતાં. મહિલાએ 2 ઓક્ટોબરે અવધેશ પર યૌન શોષણનો આરોપ લગાવી ફરિયાદ દાખલ કરી હતી.