ઈડરમાં મૂકબધિર અને અંધ બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મૂળેટી પાટિયા પાસે યુવકે બાળા સાથે દુષ્કર્મ આચર્યું છે. બસમાંથી ઉતારી જંગલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યુ હતું. પરિવાર બપોરથી પોલીસ સ્ટેશનમા ફરિયાદ માટે પહોચ્યો છે. પરંતુ પરિવારે ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યુ છે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવાતી નથી. દીકરીની હાલત ગંભીર છતા સારવારમાં પણ વિલંબ.
સાબરકાંઠાના ઈડરમાં 16 વર્ષની અંધ અને મૂકબધિર બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. આ અંધ બાળકીને મૂળેટી પાટિયા પાસે ઉતારી અને તેનું અપહરણ કરાયું હતું. ગામના જ બે નરાધમોએ બસમાંથી ઉતારી જંગલમાં લઇ જઇને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
આ ચકચારી ઘટના બાદ પરિવાર કલાકોથી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે પરંતુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવાતી ન હતી. પીડિત પરિવારને પોલીસ સ્ટેશનમાં જ બેસાડી રાખ્યો હતો. કલાકો વીતિ ગયા હોવા છતાં પણ પોલીસે ફરિયાદ ન લીધી કે બાળકીને હોસ્પિટલમાં સારવાર પણ ન અપાઇ.
મહત્વનું છે કે દુષ્કર્મની ઘટના બાદ માનસિકરીતે ભાંગી પડેલી આ બાળકીને સારવારની જરૂર હોવા છતા પોલીસે તેને કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં જ બેસાડી રાખી.