મંગળવારથી ઘટનાના વિરોધમાં અમુક સ્થાનિકો સ્મશાનની બહાર ધરણાં પર બેસી આંદોલન કરી રહ્યાં છે. બીજી તરફ પોલીસે આ મામલે આરોપી પુજારી સહિત 4 લોકોની ધરપકડ કરી છે.
રાહુલ ગાંધીએ પીડિત પરીવાર સાથે કરી મુલાકાત
રાહુલે પીડિતાના માતા-પિતાને કારની અંદર બેસાડી સાંભળી તેમની વેદના
કેજરીવાલે પણ પીડિત પરિવારની કરી મુલાકાત
દોષિતોને જલ્દી ફાંસી થાય: CM અરવિંદ કેજરીવાલ
આરોપીઓએ હેવાનિયતની હદ વટાવી
દિલ્હીના કેન્ટ વિસ્તારના એક સ્મશાનમાં નિર્દોષ બાળકી સાથે બળાત્કાર કર્યા બાદ હત્યા કરી પરીવારને જણાવ્યાં વિના બાળકીના શબના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યાં. દિલ્હી પોલીસે આ અંગે મંગળવારે જણાવ્યું કે, રવિવારે રાત્રે ઓલ્ડ નંગલ સ્મશાન ઘાટમાં અગ્નિદાહ આપી દેવામાં આવ્યો. પીડિતાની માતાના નિવેદનના આધારે એફઆઈઆર નોંધી સ્મશાનના પુજારીને ધરપકડ કરવામાં આવી. એફએસએલ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે જઈ સેમ્પલ લીધા. પોલીસે માતાના નિવેદનના આધારે પોક્સો એક્ટ, એસસી-એસટી એક્ટ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ફરીયાદ નોંધી છે.
પીડિત પરિવારને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી, ગાડીમાં બેસાડી કરી વાત
દિલ્હીના કેન્ટ વિસ્તારના બનેલી ઘટના બાદ સમગ્ર દેશમાં આ મામલો જોર પકડી રહ્યો છે ત્યારે બુધવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ પ્રદર્શન સ્થળે પરિવારની મુલાકાત લીધી હતી. ઘણી ભીડ હોવાને કારણે રાહુલ ગાંધીને ગાડીમાં જ બેસવાનો વારો આવ્યો હતો. ત્યાર બાદ તેમણે પીડિતાના માતા પિતાને ગાડીની અંદર બોલાવી તેમને સાંત્વના પાઠવી હતી. અને પરિવારને ન્યાય મળશે તેવી વાત કહી હતી. આની પહેલા રાહુલ ગાંધીએ અગાઉ ટ્વિટ કરીને કહ્યું કે, દલિત સમાજની દીકરી દેશની દીકરી છે.
Delhi: Congress leader Rahul Gandhi meets the family of the minor girl who was allegedly raped, murdered, and cremated without her parents' consent in Old Nangal crematorium recently. pic.twitter.com/0IqN0M7SQz
દોષિતોને જલ્દી ફાંસી થાય: CM અરવિંદ કેજરીવાલ
તો આ તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘટનાને શર્મનાક ગણાવી દોષિતોને ઝડપથી ફાંસી થાય તેવી માંગ કરી છે. પીડિત પરિવારને મળતા પહેલા કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું કે "દિલ્હીમાં 9 વર્ષની માસૂમ સાથે થયેલી હેવાનિયત પછી હત્યા બહુજ શર્મનાક છે. દિલ્હીમાં કાનૂન વ્યવસ્થા વધુ મજબૂત કરવાની જરૂર છે. દોષિતોને જલ્દી ફાંસીની સજા મલાવી જોઈએ." બાદમાં કેજરીવાલે પીડિત પરિવારની સાથે મુલાકાત કરી છે. અને ન્યાયની લડાઈમાં દિલ્હી સરકાર બધી જ મદદ કરશે તેની ખાતરી આપી છે.
કેજરીવાલને વિરોધનો કરવો પડ્યો સામનો
દિલ્હીમાં 9 વર્ષની બાળકી પર સંદિગ્ધ દુષ્કર્મ બાદ મોત કેસમાં પીડિતાના પરિવારને મળવા પહોંચેલા અરવિંદ કેજરીવાલને વિરોધનો સામનો કરવો પડ્યો, ભાષણ દરમ્યાન મંચ પરથી નીચે પડી ગયા હતા