દેશમાં મહિલાઓથી માંડી સગીરાઓ અને નાની બાળાઓને રોજ નરાધમો પીંખી રહ્યા છે અને બસ આપણે રસ્તાઓ પર મીણબત્તી લઈ ન્યાયની ગુહાર લગાવતા રહીએ છે. ક્યાંક ન્યાય મળે છે તો વર્ષો વીતિ જાય છે અને ક્યાંક નરાધમો ખુલ્લેઆમ ફરે છો તો પણ આપણે તેનું કાંઈ બગાડી શક્તા નથી. તેવામાં બહેન-દીકરીઓની રક્ષા માટે કેન્દ્ર સરકાર એક એવું રજિસ્ટર તૈયર કર્યું છે. જે આવા નરાધમો પર ચોવીસે કલાક નજર ચાપતી રાખશે અને નરાધમોને તેની ઔકાત બતાવશે.
ભારત કે જ્યાં મહિલાઓને દેવી સ્વરૂપે પૂજવામાં આવે છે. મહિલાઓના માન-સન્માનની હરરોજ વાતો થાય છે પરંતુ આજ ભારતીઓ માટે એક કળવું સત્ય એ પણ છે કે અહીં રોજ આપણી મા-બહેન-દીકરીઓ નરાધમોનો શિકાર પણ બની રહી છે. રોજ 94થી વધુ મહિલાઓ બળાત્કારનો ભોગ બની રહી છે..
ત્યારે હવે આવા નરાધમો પર લગામ કસવા કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ પગલુ ભર્યું છે. ગૃહ મંત્રાલયે આવા તમામ યૌન અપરાધીઓનું એક રાષ્ટ્રીય ડેટાબેસ લોન્ચ કર્યું છે. જે આવા નરાધમો પર ચોવીસે કલાક ચાપતી નજર રાખશે.
ભારત 9મો એવો દેશ છે જણે યૌન અપરાધિઓનું રાષ્ટ્રીય ડેટાબેસ લોન્ચ કર્યું છે. જેમાં 4.5 લાખથી વધુ મામલા સામેલ કરવામાં આવશે. જેની અંદર પહેવાર અપરાધ અને બીજી વાર અપરાધની પ્રોફાઈલ છે. જેને દેશભરની જેલોના રેકોર્ડ પરથી તૈયાર કરવામાં આવી છે. આ રજિસ્ટરમાં યૌન શોષણના અપરાધિનું નામ તસ્વિર સરનામું ફિંગરપ્રિન્ટ DNA સેમ્પલ પીન નંબર અને આધાર નંબરની ડીટેઈલ રાખવામાં આવશે.
આ ડેટાબેસ તૈયાર કરવાની જવાબદારી ગૃહ મંત્રાલયે નેશનલ ક્રાઈમ રિકોર્ડ્સ બ્યૂરો એટલે કે NCRBને સોંપવામાં આવી છે. NCRB દ્વારા તૈયાર કરવામાં આવનાર રજિસ્ટરમાં આરોપીઓનું તેના ગુનાના રેકર્ડ પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવશે. જેમાં સૌથી ઓછા જોખમી ગુનેગારોનો ડેટામાં 15 વર્ષ માટે ઓછા જોખમી ગુનેગારનો ડેટામાં 25 વર્ષ માટે અને ગંભીર ગુના જેવા કે હિંસક અપરાધ ગેંગરેપ કસ્ટોડિયલ રેપના આરોપીઓના ડેટાને જીવન ભર માટે રાખવામાં આવશે.
NCRBના ડેટા પ્રમાણે વર્ષ 2016માં 38 હજાર 947 બળાત્કારના કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ 2015માં 34 હજાર 651 કેસ. એટલે કે 2015ની તુલનાએ 2016માં મહિલાઓ શોષણના કેસમાં સતત વધારો નોંધાયો છે. તાજેતરમાં જ જમ્મૂ-કશ્મીરના કઠુઆમાં શર્મસાર કરતી ઘટના આવી.
જેમા હવસખોર નરાધમોએ એક 8 વર્ષની બાળકી પર અનેક દિવસો સુધી બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. તેવામાં કેન્દ્ર સરકારની આ પહેલ આવા નરાધમો માટે ફંદા સમાન હશે. અનેક લોકને એવી ઉમ્મીદ પણ છે કે આ ડેપાબેસથી ન માત્ર યૌન શોષણ પર લગામ લાગશે પરંતુ કાયદો લાગુ કરનાર એજન્સિઓને આરોપીઓ પર નાથવામાં પણ મદદ મળશે. ત્યારે જોવું રહ્યું કે કેન્દ્ર આ પહેલ નરાધમો પર કેટલી ભારે પડે છે.