ગુજરાત સહિત ભારતમાં દિવસે ને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધતી જાય છે અને પરિણામે દેશમાં આક્રોશનો માહોલ છે. આવામાં ફરી એક વખત દુષ્કર્મના ગુનેગારોને કડકમાં કડક સજા અને જલ્દીથી જલ્દી સજા મળે તેની માંગ ઉઠે છે. આવામાં સવાલ એ થાય છે કે આ રેપની ઘટનાઓ માટે કોણ જવાબદાર છે અને આ ઘટનાઓ ક્યારે અટકાવશે અને કોણ અટકાવશે?
શું દેશમાં કાયદો એવો બની શકશે ખરો કે જેનાથી એક રેપિસ્ટ સજાને સાંભળીને કંપી જાય કે પછી શું આપણા સમાજમાં પણ કોઈ એવા બદલાવની જરૂર છે જેનાથી આ ઘટનાઓના આંકડામાં ઘટાડો થશે. આ તમામ પરિબળો પર જુઓ અમારી વિશેષ ચર્ચા જેમાં VTVGujarati.com ના ઍડિટર કુનાલ પંડ્યા, ગુજરાતી એક્ટ્રેસ મોનલ ગજ્જર, ડૉ. વિધી મોદી (મનોચિકિત્સક), પ્રીતિ દાસ (ટીચર, પત્રકાર અને સામાજિક કાર્યકર), શૈષવ પંડિત (ક્રિમિનલ લૉયર) અને શ્રદ્ધા રાજપૂત (ભાજપ પ્રવક્તા) હાજર રહ્યાં હતાં.