સલામત ગુજરાતના પોકળ દાવાઓ કડડભૂસ થઈ ગયા છે કારણ કે વારંવાર બાળકી સાથો દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી.
જામજોધપુર તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ
કપડાના વેપારીએ ત્રણ વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
આરોપી મયુર ડાભી સામે નોંધાઇ દુષ્કર્મની ફરિયાદ
જામનગર જીલ્લામાં દુષ્કર્મનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જીલ્લાના જામજોધપુર તાલુકા મથકે કપડાની દુકાન ધરાવતા દુકાનદારે સાળા સોળ વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કપડા ખરીદવા દુકાને ગયેલ સગીરા પર આરોપીએ દુકાનમાં પ્રથમ વખત દુષ્કર્મ આચરી. બાદમાં ધાકધમકીઓ આપી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. ત્રીજી વખત બળાત્કાર આચરતા સગીરાએ તેની માતાને જાણ કરી હતી. જેને લઈને તેણીની માતાએ જામજોધપુર પોલીસ દફતરમાં આરોપી દુકાનદાર સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે દુકાનદાર મયુર રાજેશભાઈ ડાભી સામે બળાત્કાર, પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. જયારે સગીરાનો કબજો સંભાળી પોલીસે મેડીકલ પરીક્ષણ હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છેક જામનગર જીલ્લામાં છેલ્લા ત્રણ માસમાં દુષ્કર્મના અગ્યાર બનાવો પોલીસ દફતર સુધી પહોચ્યા છે.