દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહિલા સુરક્ષાને લઇને એક મોટુ નિવેદન આપ્યું છે. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે પોક્સો એક્ટમાં આરોપીઓ માફીને લાયક નથી. પોક્સોના આરોપીને દયા અરજીનો અધિકાર ન હોવો જોઇએ. આવા મામલાઓમાં દયાની અરજીની જોગવાઇ બંધ થવી જોઇએ.
પોક્સો હેઠળના આરોપી માફીને લાયક નથી
પોક્સોના આરોપીને દયા અરજીનો અધિકાર ન હોવો જોઇએ
સંસદે દયા અરજી મામલે વિચાર કરવાની જરૂર
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજસ્થાનની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ કોવિંદ સિરોહી ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે મહિલા સુરક્ષા એક ગંભીર સમસ્યા છે. પોક્સો અધિનિયમ હેઠળ દુષ્કર્મના દોષીઓની દયાની અરજી દાખલ કરવાનો કોઇ અધિકારી ન હોવો જોઇએ. સંસદે દયા અરજી મામલે વિચાર કરવો જોઇએ.
રાષ્ટ્રપતિનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હૈદરાબાદમાં પશુ ચિકિત્સકની સાથે દુષ્કર્મ કરનાર ચાર આરોપીઓને પોલીસે અથડામણમાં ઠાર માર્યા છે. પોલીસ આરોપીને ક્રાઇમ સીન રીક્રન્સ્ટકશન કરવા માટે લઇ ગઇ હતી. જ્યાંથી તેઓ હથિયાર લઇને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે પોલીસે આત્મરક્ષા માટે ફાયરિંગ કર્યું હતું. જેમાં ચારેય આરોપીઓના મોત થયા હતા.
આ ઘટનાએ 16 ડિસેમ્બર, 2012માં થયેલ નિર્ભયા કાંડની યાદને તાજા કરી દીધી. નિર્ભયાના આરોપીઓને કોર્ટે મોતની સજા સંભળાવી હતી. આ વચ્ચે નિર્ભયાના ચાર આરોપીઓમાંથી એક આરોપી વિનય શર્માએ દયા અરજી રદ્દ કરવાની ભલામણ ગૃહ મંત્રલાય દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરી છે.
આ અગાઉ દિલ્હી સરકાર પણ 23 વર્ષના વિનય શર્માની દયાની અરજી રદ્દ કરવાની ભલામણ ગૃહ મંત્રાલયને કરી ચૂકી છે. આ મામલે દોષીએ રાષ્ટ્રપતિ પાસે દયાની અજી માગ કરી છે.